ભરૂચ: 800થી વધુ ગૌ વંશ- શ્વાનોને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન, પેટ અને ચામડીના રોગમાં મળે છે રાહત

ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

New Update
  • ભરૂચમાં અનોખું સેવાકાર્ય હાથ ધરાયુ

  • સાર્થક ફાઉન્ડેશન દ્વારા કાર્ય હાથ ધરાયુ

  • ગૌ વંશ-શ્વાનોને કરવામાં આવશે ડી વોર્મિંગ

  • દવાનું વિતરણ કરવામાં આવ્યું

  • દર ત્રણ મહિને અભિયાન હાથ ધરાશે

Advertisment
ભરૂચના સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી.હેલ્થકેરના સંકયુક્ત ઉપક્રમે શ્વાનો અને ગૌ વંશને ડી વોર્મિંગની દવા આપવાનું મહાઅભિયાન હાથ ધરવામાં આવ્યું હતું

ભરૂચમાં કાર્યરત સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે ત્યારે સંસ્થા દ્વારા વધુ એક ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવ્યું છે. સાર્થક ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને બી.જી

પી.હેલ્થકેરના સંયુક્ત પ્રયાસથી ભરૂચ શહેરમાં ગૌવંશ તથા શ્વાનોને ડી વોર્મિંગનું મેગા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં રસ્તે રખડતા શ્વાન તેમજ ગૌવંશને કેટલીક વખત અખાધ્યા ખોરાક પણ આરોગે છે જેનાથી તેમના આરોગ્યને નુકસાન પહોંચે છે ત્યારે સાર્થક ફાઉન્ડેશન અને બી.જી.પી. હેલ્થ કેર દ્વારા દવા આપવામાં આવે છે જેનાથી તેઓના આરોગ્યને તકલીફ પહોંચતી નથી. બંને સંસ્થાઓ દ્વારા 350 ગૌ વંશ અને 450 જેટલા શ્વાનોને ડી વોર્મિંગની દવા આપવામાં આવી હતી. જે પશુઓને દવા આપવામાં આવે છે તેના પર નિશાન કરી દેવામાં આવે છે.આ દવાના કારણે પશુઓને પેટના તથા ચામડીના રોગોમાં રાહત મળે છે.આ અભિયાન દર ત્રણ મહિને કરવામાં આવે છે જેમાં બંને સંસ્થાના સ્વયંસેવકો મોટી સંખ્યામાં જોડાય છે.
Advertisment
Read the Next Article

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનનું “સેવાકાર્ય”, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કર્યું

શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાન દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છે

author-image
By Connect Gujarat Desk
New Update
  • શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા સેવાકાર્ય

  • જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું

  • શિશુ-1થી ધો-12ના સમાજના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

  • વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ

  • જરૂરિયાતમંદોને વ્હીલચેરબેડ-વોકરની પણ સુવિધા મળશે 

Advertisment

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજ દ્વારા અવારનવાર સેવાની ધૂણી ધખાવી સમાજની જરૂરિયાતમંદ મહિલાનઓ તેમજ બાળકો અને વિદ્યાર્થીઓ માટે સેવાકાર્ય કરવામાં આવે છેત્યારે રાણા સમાજના આગેવાન વિપિનભાઈ મોહનભાઈ રાણા તરફથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું.

જેમાં શિશુ-1થી ધોરણ 12માં અભ્યાસ કરતા રાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક તેમજ ડાયરાનું વિતરણ કરવામાં આવ્યા હતા. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદો માટે વ્હીલચેરબેડ અને વોકરની સુવિધા પણ પુરી પાડવામાં આવશે તેવું શ્રી અંકલેશ્વર શહેર સમસ્ત રાણા સમાજના આગેવાનએ જણાવ્યુ હતું.

Advertisment