ભરૂચ: નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન,મોટી સંખ્યામાં લોકો જોડાયા

ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા  કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા.

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • નાતાલના પર્વ નિમિત્તે આયોજન કરાયું

  • પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • અખૂટ પ્રેમ, આનંદ, શાંતિનો સંદેશ અપાયો

ભરૂચમાં વસતા ખ્રિસ્તી સમાજ દ્વારા  કેથોલિક ચર્ચ ખાતેથી નાતાલના પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા.
સમગ્ર વિશ્વમાં અખૂટ પ્રેમ, આનંદ,શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનારા પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ 25મી ડિસેમ્બરના રોજ થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં 25મી ડિસેમ્બરને ક્રિસમસ તરીકે ઉજવવા આવે છે.આ દિવસની ઉજવણીના ભાગરૂપે 22મી ડિસેમ્બરના રોજ  પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ યાત્રા સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલ કેથોલિક ચર્ચથી નીકળી શહેરના પાંચબત્તીથી સ્ટેશન રોડ થઈ સ્ટેશન સર્કલથી પરત કેથોલિક ચર્ચ ખાતે પૂર્ણ થઈ હતી જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા
Latest Stories