ભરૂચ: કશ્મીર ગયેલા પરિવારનો એક કિચેઇને જીવ બચાવ્યો, નહીં તો આતંકી સાથે જ સામનો થઈ જાત !

ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો

New Update
  • જમ્મુ કશ્મીરમાં થયો હતો આતંકી હુમલો

  • ભરૂચનું પરિવાર કશ્મીરના પ્રવાસેથી હેમખેમ પરત ફર્યું

  • કિચન લેવા રોકાતા આતંકીઓ સાથેનો સામનો ટળ્યો

  • હુમલની જાણ થતા જ હોટલ પરત ફર્યા હતા

  • પરિવારજનોએ અનુભવ્યો હાશકારો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. કશ્મીરના બૈસરન જતા ભરૂચના પરિવારનો કિચેઇન ખરીદવા માર્ગમાં રોકાવાથી કિસ્મતે બચાવ કર્યો હતો. દવે પરિવાર બૈસરન ઘાટી માટે મોડું પડયું અને તેમનો આંતકવાદીઓ સાથેનો સામનો ટળ્યો હતો. 
ભરૂચના સંધ્યા દવે તેમન પતિ ઋષિ દવે અને એનઆરઆઈ બહેન બનેવી સાથે પેકેજ ટૂર દ્વારા કાશ્મીર ગયા હતા. આ બે દંપતીઓને 22 તારીખે બપોરે સાડાબાર વાગ્યે બૈસરનના મીની સ્વિટ્ઝર્લેન્ડ પોઇન્ટ જે હુમલાનું સ્થળ હતું ત્યાં પહોંચવાનું શિડ્યુલ અપાયું હતું. હોટલથી ઘાટી તરફ રવાના થયેલા આ ગુજરાતી પર્યટકો હુમલાના સ્થળ નજીક  એક સેલ્ફી પોઇન્ટ પર રોકાયા હતા.
અહીં તસવીરો ખેંચ્યા બાદ આગળ ધપતી વખતે નજીકમાં દેવદારના લખડામાંથી કોતરણી કરી કિચેઇન બનાવતા એક વ્યક્તિ પર સંધ્યાબેનની નજર પડી હતી. અહીં ભીડ હતી અને કારીગરે સંધ્યાબેને બનાવવા આપેલા કિચેઇનમાં પરિવારના સભ્યોના નામના સ્પેલિંગમાં બેથી ત્રણ વખત ભૂલો કરી હતી. આ રકઝકમાં સમય વેડફાયો હતો અને તે પોઇન્ટ સુધી પહોંચવા મોડા પડ્યા હતા.
આ દરમિયાન અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો હતો અને અફરાતફરી મચી ગઈ હતી. દવે પરિવાર સાથે ટુર ઓપરેટરના ડ્રાઇવર કમ ગાઈડે કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાની હોવાની શંકા વ્યક્ત કરી પરત હોટલ જવા વિનંતી કરી હતી. આ દરમિયાન પર્યટકોનું ટોળું નજીક આવ્યું હતું જેણે આંતકી હુમલાની માહિતી આપતા અન્યની સાથે બે દંપતી પણ જીવ બચાવવા પરત ભાગ્યા હતા. આમ કિચેઇન બનાવવામાં વેડફાયેલ સમયના કારણે દવે પરિવારના સભ્યોનો જીવ બચ્યો હતો. 
Read the Next Article

અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી

વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો. જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો 

New Update
svem school ankleshwar
અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમ શાળામાં તારીખ 21 જૂન 2025 ને શનિવારના રોજ પૂર્વ પ્રાથમિક તેમજ પ્રાથમિક વિભાગમાં 11માં વિશ્વ યોગ દિનની ONE EARTH ONE HEALTH  થીમ અંતર્ગત ઉજવણી કરવામાં આવી હતી.
શાળાના આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા તેમજ સુપરવાઇઝર મીતા રીંડાણીની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ શાળાના યોગ શિક્ષિકા ભામીની ભરડીવાળાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને યોગનું મહત્વ સમજાવી વિવિધ યોગાસન,પ્રાણાયામ કરાવવામાં આવ્યા હતા.વર્ષ 2014માં સંયુક્ત રાષ્ટ્રની બેઠકમાં આપણા ભારત દેશના પીએમ નરેન્દ્ર મોદી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણીનો પ્રસ્તાવ મુકાયો હતો.
જેનો સ્વીકાર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવ્યો  હતો. આથી તારીખ 21 જૂન 2015 થી આજ દિન સુધી દર વર્ષે શાળામાં શુભાશય સાથે વિશ્વ યોગ દિનની ઉજવણી કરી યોગઃ કર્મસુ કૌશલમ્ આ વાક્યને ચરિતાર્થ કરવામાં આવ્યું હતું.સાથે વિશ્વ સંગીત દિવસની ઉજવણી પણ શાળાના સંગીત શિક્ષક કરણ ભટારા દ્વારા વિદ્યાર્થીઓને સંગીતની સમજ સાથે સુર, તાલ, લયના સથવારે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.