ભરૂચ : હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે બાઇક રેલી સહિત મશાલ રેલી યોજાય, મોટી સંખ્યામાં હોમગાર્ડના જવાનો જોડાયા...

તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી

  • જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં ઉજવણી કરાય

  • બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું

  • ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી રેલીને પ્રસ્થાન કરાવાયું

  • મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા હોમગાર્ડના જવાનોની ઉપસ્થિતિ

તા. 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસ અંતર્ગત વિવિધ કાર્યો થકી ઉજવણી કરવામાં આવતી હોય છેત્યારે ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટની આગેવાનીમાં બાઇક રેલી સહિત મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્ષ 1946માં મુંબઈમાં કોમી રમખાણોની અંધાધૂંધી દરમિયાન પોલીસના સહાયક તરીકે વહીવટી તંત્રને મદદ કરવા માટે હોમગાર્ડ સંગઠનની રચના નાગરિક સ્વૈચ્છિક દળ તરીકે કરવામાં આવી હતીતેને હોમગાર્ડને ભારતીય ગૃહ રક્ષક પણ કહેવાય છે. હોમગાર્ડ જનતાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિઓમાં પોલીસ અને સેનાને મદદ કરવા માટે કામગીરી કરે છે.

તા. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ સંજય કાયસ્થની આગેવાનીમાં ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડથી બાઇક રેલી યોજવામાં આવી હતી. જે પાંચબત્તીસ્ટેશન રોડ થઈ સિવિલ રોડથી સક્તિનાથથી પરત હોસ્ટેલ ગ્રાઉન્ડ ફરી હતી. ત્યારબાદ મશાલ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે હોસ્ટેલ ગ્રાઉન્ડથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં ભરૂચ શહેર કમાન્ડર મનોજ રાણાસિનિયર પ્લાટુન કમાન્ડર કિશોર ઠાકોરહરિબાબુ અહેરવાર સહિત હોમગાર્ડ જવાનો જોડાયા હતા.

Read the Next Article

ભરૂચ: મલયાલી વેલફેર એસો.દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, રક્તદાતાઓએ લીધો ઉત્સાહભેર ભાગ

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યુ આયોજન

  • મલયાલી વેલફેર એસો.દ્વારા આયોજન

  • રક્તદાન શિબિર યોજાય

  • રજતદાતાઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન

  • યુનિટી બ્લડ બેંકનો સહયોગ સાંપડ્યો

ભરૂચના મલયાલી વેલ્ફેર એસોસિએશન અને યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
ભરૂચ મલયાલી વેલ્ફેર એસોસિએશન તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે જી.એન.એફ.સી. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રક્તદાન શિબિરનો ઉદ્દેશ જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નબળા દર્દીઓને કટોકટીના સમયે સમયસર રક્ત ઉપલબ્ધ કરાવી શકાય તેવો હતો.શિબિરમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ રક્તદાન કર્યું હતું.આ શિબિરની સફળતામાં મલયાલી વેલ્ફેર એસોસિએશનના સભ્યો તથા યુનિટી બ્લડ સેન્ટરના તબીબી સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. કાર્યક્રમ અંતે સંસ્થાઓ તરફથી રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી તેમનો વ્યક્ત આવ્યો હતો.