ભરૂચ : વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ માટે તાલીમ શિબિર યોજાય...

 ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા-ગાંધીનગર દ્વારા ભરૂચના વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • ગુજરાત માટી કલાકારી-રૂરલ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજન

  • વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન દ્વારા વિશેષ તાલીમ શિબિર યોજાય

  • બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે તાલીમ શિબિરનું આયોજન કરાયું

  • દિવ્યાંગ વ્યક્તિઓ માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

  • તમામ લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા

 ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા-ગાંધીનગર દ્વારા ભરૂચના વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે દિવ્યાંગો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ વ્હાઇટ હાઉસ ખાતે વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશનની સંસ્થા છેલ્લા 6 વર્ષથી સ્થાપિત છેજ્યાં આજરોજ વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશનના સહયોગથી ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા ગાંધીનગર દ્વારા દિવ્યાંગો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્લ્ડવાઈડ હ્યુમન કેર ફાઉન્ડેશન સંચાલિત ભરૂચ બ્લાઇન્ડ એન્ડ ડિસેબલ સેન્ટર ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત તીલાવતે કુરાનથી કરવામાં આવી હતી. આ તાલીમ શિબિરમાં 30 જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં આજરોજ તાલીમ પૂર્ણ થતાં લાભાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે વાગરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આસિફ ખોજબલભરૂચ નગરપાલિકા વોર્ડ નં. 1ના કાઉન્સિલર સલીમ અમદાવાદીસામાજિક કાર્યકર્તા અબ્દુલ કામઠી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.