ભરૂચ: જાણીતા પર્યટન સ્થળ ધાણીખૂટમાં નિર્માણ પામશે યાહા મોગી માતાજીનું મંદિર

ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના  ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

New Update

ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના  ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

ભરૂચના નેત્રંગ તાલુકાનાં ઘાણીખૂટ ખાતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના આગેવાન મહેશ વસાવાની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પરિવાર યુનિટી સંગઠનની રચના કરવામાં આવી હતી.જેમાં આદિવાસી સમાજની વિસરતી જતી સંસ્કૃતિ અને ઇતિહાસને ઉજાગર માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી જે બાદ એક જમાના આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભરુચ જિલ્લા પંચાયતની  બાંધકામ સમિતિના ચેરમેન રાયસીંગ વસાવા,પરેશ વસાવા,રાજ વસાવા,મગન વસાવા સહિત વિવિધ ગામોના સરપંચ અને આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read the Next Article

ભરૂચ: જાહેરમાં કચેરો ફેંકનાર લોકોને નગર સેવા સદને ભણાવ્યો પાઠ, જાતે કચરો ઉપાડાવી વિડીયો જાહેર કરાયા

સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી

New Update
garbage
ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના પ્રયાસો હવે વધુ ગંભીર બનાવાયા છે. નગરપાલિકાએ જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સામે લાલ આંખ કરી છે. શનિવારે સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના મુખ્ય માર્ગો તથા વ્યસ્ત વિસ્તારોમાં વોચ ગોઠવાઈ હતી. શહેરના અલગ અલગ વિસ્તારોમાં જાહેરમાં કચરો ફેંકનારાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નગરપાલિકાના કર્મચારીઓએ જાહેરમાં ફેંકનાર પાસે જાતે કચરો ઉપાડાવી વીડિયો પણ જાહેર કર્યા છે.પાલિકા અનુસાર જો હજુ બેજવાબર નાગરિકો આદત નહિ છોડે તો તેમની સામે દંડાત્મક પગલાં લેવામાં આવશે.