ભરૂચ: નેત્રંગમાં દૂધ લેવા જઇ રહેલ યુવાનની અંગત અદાવતે હત્યા, હત્યારાની પોલીસે કરી ધરપકડ

ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માકઁટયાડઁમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.૪૦) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા.

New Update
Screenshot_2025-04-27-21-10-54-72_6012fa4d4ddec268fc5c7112cbb265e7

ભરૂચના નેત્રંગ તાલુકા મથકના જીનબજાર વિસ્તારમાં આવેલા માકઁટયાડઁમાં રહેતા સુલેમાન સિદ્દિક મંગલીયા (ઉ.૪૦) ઉંટ લારી ચલાવી મજુરીકામ કરીને ગુજરાન ચલાવતા હતા. આજે સવારના  સમયે ઘરમાં ચા બનાવાની હોવાથી દુધ લેવા માટે ગયા હતા. 

Advertisment
ત્યાંથી પરત ફરતાં દરમ્યાન રસિક કુમારસિંગ વસાવાએ કોઇ અગમ્ય કારણોસર લાકડાના સપાટા સુલેમાન સિદ્દિક મંગલીયાને માથાના ભાગે મારતા લોહીલુહાણ થતાં જમીન ઉપર ઢળી પડ્યા હતા.
સ્થાનિકોએ ઇજાગ્રસ્તને 108 એમબ્યુલન્સ સેવા દ્વારા નેત્રંગ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ત્યારબાદ અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતાં નેત્રંગ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.આ મામલામાં પોલીસે હત્યારા રસિક વસાવાને ગણતરીના સમયમાં ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Advertisment
Latest Stories