ભરૂચ: AAP દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે  કાર્યકર્તા સંમેલન યોજાયું,પ્રદેશના આગેવાનોની હાજરી

ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ  સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં  આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • આપ દ્વારા યોજાયું કાર્યકર્તા સંમેલન

  • પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવે આપી હાજરી

  • ધારાસભ્ય ચૈતર વસાવા રહ્યા ઉપસ્થિત

  • આપે ગુજરાતમાં એકલા હાથે ચૂંટણી લડવાની બતાવી તૈયારી

Advertisment
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટીના ભરૂચ લોકસભાના આગેવાન કાર્યકર્તાઓનુ  સંમેલનનુ આયોજન કરાયું હતું.જેમાં મોટી સંખ્યામાં  આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
સ્થાનિક સ્વરાજ અને વિધાનસભાની ચૂંટણીઓને લઈને હમણાંથી જ રાજકીય પાર્ટીઓએ પોતાની બેઠકો દોર શરૂ કરી દીધી છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું.જેમાં પ્રદેશ સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને દુર્ગેશ પાઠક,ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા,સાઉથ ઝોન પ્રભારી રામ ધડુક અને ભરૂચ લોકસભા પ્રભારી યાકુબ ગુજજી,જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.આ સંમેલનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ અગામી 2026 ની સ્થાનિક સ્વરાજ્યની તથા 2027 વિધાનસભા ચુંટણીલક્ષી આયોજનનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભરૂચના વાલીયા અને  ડમલાઈ લિગ્નનાઇટ પ્રોજેક્ટ અંગે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટના કારણે હજારો પરિવારો વિસ્થાપિત થવાના છે જેના કારણે સ્થાનિકોએ વિરોધ નોંધાવી વાંધા અરજીઓ આપી છે.આગામી સમયમાં કોંગ્રેસમાં સાથે જો ગઠબંધન થશે તો તેમની સાથે ચૂંટણી લડીશું અથવા તો આમ આદમી તમામ બેઠકો પર સ્વતંત્ર ચૂંટણીઓ લડશે એવી જાહેરાત કરવામાં આવી છે.
Advertisment
Latest Stories