ભરૂચ : સાયખાની અલ્કેમી ફાઈન કેમમાં ગટરની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત,કામદાર પર પ્રિકાસ્ટ ડ્રેઈન પડતા મોતને ભેટ્યો

ભરૂચ જિલ્લાના વાગરા પાસેની સાયખા જીઆઇડીસીમાં અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું.

New Update
  • સાયખા ઔદ્યોગિક વસાહતમાં સર્જાયો અકસ્માત

  • અલ્કેમી ફાઈન કેમમાં સર્જાઈ દુર્ઘટના

  • ડ્રેનેજની કામગીરી દરમિયાન સર્જાયો અકસ્માત

  • પ્રિકાસ્ટ ડ્રેઇન પડતા કામદાર મોતને ભેટ્યો

  • પોલીસે અકસ્માત મોત અંગે શરૂ કરી તપાસ  

ભરૂચ જિલ્લાની સાયખા ઔધોગિક વસાહતની અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં ગટર લાઈનની કામગીરી દરમિયાન પ્રિકાસ્ટ ડ્રેઈન નીચે પડતા એક કામદારનું કરૂણ મોત નીપજ્યું હતું.

ભરૂચ જિલ્લાના વાગરા પાસેની સાયખા જીઆઇડીસીમાં અલ્કેમી ફાઈન કેમ કંપનીમાં અકસ્માત સર્જાયો હતો. સુરક્ષાના અભાવ વચ્ચે કામ કરતા એક કામદારનું મોત નીપજ્યું હતું.મળતી માહિતી મુજબ 35 વર્ષીય સબુ નારસિંગભાઈ મખોડિયા રહેઅલ્કેમી ફાઈન કેમ કંપનીની કોલોનીજુનેદ,વાગરા,મૂળ રહેવાસી મુવાલીયા,દાહોદનાઓ ગટર લાઇનમાં નાખવામાં આવતી સિમેન્ટની પ્રિકાસ્ટ ડ્રેઈનને બેલ્ટ બાંધી ક્રેન દ્વારા ઉપરથી નીચે ગટરમાં ઉતારતા હતા.તે દરમિયાન અચાનક હુકમાંથી બેલ્ટ સરકી જવાથી ડ્રેઈન કામદાર સબૂ પર પડી હતી.જેથી તેમના ચહેરા પર ઈજા થઈ હતી.તેઓને ભરૂચ સારવાર માટે લાવવામાં આવ્યા હતા,જોકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું મોત નીપજ્યું હતું.બનાવ સંદર્ભે પોલીસ દ્વારા અકસ્માત મોત અંગેની ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.