ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ શીશ મળ્યા બાદ નજીકથી જ અન્ય અંગો પણ મળ્યા !

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા

New Update
  • ભરૂચનું ચકચારી બનાવ

  • કોલેજ રોડ પર ગટરમાંથી મળ્યું હતું માથું

  • નજીકના જ અંતરેથી મૃતદેહના અન્ય અંગો પણ મળ્યા

  • સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

  • સૌ પ્રથમ મૃતકની ઓળખ કરવા તજવીજ

Advertisment
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગત રોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું.સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા.આ અંગેની જાણ થતા જ સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ ભરૂચ વિભાગ પોલીસવાળા સી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્ર ગતિમાન કર્યા છે આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે
બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.હાલ ઘૂંટણ સુધીનો  ભાગ મળી આવ્યો છે.આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહોની મળવાની ઘટના બાદ હવે ગટરમાંથી પણ કપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા  પામ્યો છે ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે.
Advertisment
Read the Next Article

અંકલેશ્વર : નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવતા ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ બંધ કરાયું

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,

New Update
  • NCT દ્વારા પાઈપલાઈનની કામગીરી

  • ઉદ્યોગોનું એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ કરાયું બંધ

  • નોટીફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા અપાઈ સૂચના 

  • પમ્પીંગ સ્ટેશનના પાઈપલાઈનની કામગીરી

  • કામગીરીને પગલે ઉદ્યોગોને પડશે નહિવત અસર

  • સાંજ સુધીમાં કામગીરી પૂર્ણ થવાની સંભવના  

Advertisment

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગોના એફ્લુઅન્ટને ટ્રીટમેન્ટ કરીને દરિયામાં ઠાલવતી નર્મદા ક્લીન ટેક દ્વારા પાઈપલાઈનની કામગીરી હાથ ધરવામાં આવી છે,જેના કારણે ઉદ્યોગોમાંથી નીકળતા ગંદા પાણીનું ડિસ્ચાર્જ બંધ કરવાની સૂચના આપવામાં આવી છે.

અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળી નસ સમાન નર્મદા ક્લીન ટેક (NCT) દ્વારા  A,B અને C પમ્પીંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે,જેના કારણે નોટીફાઈડ ઓથોરિટી દ્વારા NCTના સભ્ય ઉદ્યોગોને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.જોકે મોટા ભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે.NCT દ્વારા ઉદ્યોગમાંથી નીકળ્યા એફ્લુઅન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટીયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે.  

હાલમાં NCT દ્વારા પાઈપલાઈનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે,અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત શેલડિયાએ જણાવ્યું હતું.

Advertisment