ભરૂચ: કોલેજ રોડ પર ગટરમાંથી માનવ શીશ મળ્યા બાદ નજીકથી જ અન્ય અંગો પણ મળ્યા !

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા

New Update
  • ભરૂચનું ચકચારી બનાવ

  • કોલેજ રોડ પર ગટરમાંથી મળ્યું હતું માથું

  • નજીકના જ અંતરેથી મૃતદેહના અન્ય અંગો પણ મળ્યા

  • સી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

  • સૌ પ્રથમ મૃતકની ઓળખ કરવા તજવીજ

ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી માનવ શીશ મળી આવવાના મામલામાં આજરોજ સવારે તપાસ દરમિયાન થોડા જ અંતરેથી અન્ય અંગો પણ મળી આવ્યા હતા
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ગત રોજ સાંજના સમયે માનવ શીશ મળી આવ્યું હતું.સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને તેમની ટીમે મૃતદેહનું માથું ગટરમાંથી બહાર કાઢ્યું હતું અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી તે દરમિયાન આજરોજ સવારના સમયે નજીકના જ અંતરે ગટરમાંથી તપાસ દરમિયાન માનવ મૃતદેહના અન્ય અંગો મળી આવ્યા હતા.આ અંગેની જાણ થતા જ સી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સાથે જ ભરૂચ વિભાગ પોલીસવાળા સી કે પટેલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા પોલીસે પ્રાથમિક તબક્કે આ મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતક કોણ છે તેની ઓળખ માટેના ચક્ર ગતિમાન કર્યા છે આ માટે પોલીસ દ્વારા વિવિધ ટીમ પણ બનાવવામાં આવી છે
બંને શારીરિક અંગો એક જ મૃતકના હોવાનો હાલ અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.હાલ ઘૂંટણ સુધીનો  ભાગ મળી આવ્યો છે.આ ઉપરાંત અન્ય અંગોની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં શેરડીના ખેતરોમાંથી માનવ કંકાલ અને મૃતદેહોની મળવાની ઘટના બાદ હવે ગટરમાંથી પણ કપાયેલું માથું અને અન્ય અંગો મળી આવતા ખળભળાટ મચી જવા  પામ્યો છે ત્યારે આ મામલામાં હત્યાના એંગલ સાથે પોલીસે મૃતકની ઓળખ કરવાની તજવીજ શરૂ કરી છે.
Read the Next Article

ભરૂચ: ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજાને જેલ મુક્ત કરવાની માંગ, પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે. તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • રાજપૂત યુવા સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને મુક્ત કરવા માંગ

  • પાસા હેઠળ કરવામાં આવી છે અટકાયત

  • ખોટી રીતે કાર્યવાહી કરાય હોવાના આક્ષેપ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાને તાત્કાલિક જેલ મુક્ત કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું.
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મંત્રી સહિત સમાજના તમામ સભ્યોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પી.ટી.જાડેજાની પાસા કાયદા હેઠળ જેલમાં કેદ કરવામાં આવ્યા છે.જેના સામે સમાજના તમામ સંગઠનોએ વખોડી કાઢી તેઓને તાત્કાલિક જેલ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અમરનાથ મંદિરમાં આરતી કરવા જેવી બાબતે બોલાચાલી થતાં ધમકી આપવામાં આવી હોવાના આક્ષેપ સાથેની ઓડિયો-ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. એ બાદ તેમને પાસા હેઠળ અમદાવાદ સાબરમતી જેલ ખાતે મોકલવા કાર્યવાહી કરવામાં આવી હતી.