ભરૂચ: JP કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ કોલેજને રૂ.15 લાખનું આપ્યું દાન, સન્માન સમારોહ યોજાયો

ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. એમ.ડી. અણખીવાલા દ્વારા કોલેજને રૂ. ૧5 લાખનું દાન આપવામાં આવતા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો

New Update
  • ભરૂચમાં આવેલી છે જે.પી.કોલેજ

  • કોલેજના પૂર્વ વિદ્યાર્થીએ આપ્યું દાન

  • કોલેજને રૂ.15 લાખનું દાન આપવામાં આવ્યું

  • સન્માન સમારોહનું કરાયુ આયોજન

  • કોલેજ પરિવાર રહ્યો ઉપસ્થિત

ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડૉ. એમ.ડી. અણખીવાલા દ્વારા કોલેજને રૂ. ૧5 લાખનું દાન આપવામાં આવતા તેઓનો સન્માન સમારોહ યોજાયો હતો
ભરૂચની શ્રી જયેન્દ્રપૂરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડો.એમ.ડી. અણખીવાલા શ્રી સદ્ વિદ્યા મંડળ ભરૂચ દ્વારા વર્ષો પહેલા માત્ર રૂ. ૯૮૭ની  ફીની સહાય મેળવી હતી.આ સહાયની યાદ સાથે તેમણે હવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજળું બને તે હેતુથી રૂ. ૧૫ લાખનું દાન આપવાની જાહેરાત કરી છે.આ ભંડોળથી એવા વિદ્યાર્થીઓને મદદ મળશે જેઓ ભારે ફીના કારણે અભ્યાસથી વંચિત રહેતા હતા. ડૉ. અણખીવાલાના આ ઉત્કૃષ્ટ વિચાર અને સામાજિક જવાબદારીના અભિગમને અભિનંદન પાઠવતાં કોલેજ પરિવાર તથા સદવિધ્યા મંડળ દ્વારા તેમનો વિશેષ સન્માન સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે મંડળના પ્રમુખ, કોલેજના આચાર્ય અને શિક્ષકમંડળે તેમનો આભાર વ્યક્ત કર્યો તથા તેમને સમાજ માટે પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા
Read the Next Article

અંકલેશ્વર: ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે  ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા આયોજન કરાયુ

  • તિરંગા યાત્રાનું આયોજન

  • શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રા નિકળી

  • મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

અંકલેશ્વર ભાજપ દ્વારા  સ્વતંત્રતા પર્વની આગોતરી ઉજવણીના ભાગરૂપે શહેર અને ભડકોદ્રા ગામે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતા હેઠળ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે  ભડકોદરા ભાજપ દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તિરંગા યાત્રામાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.શહેરના ચૌટાનાકા પાસે મેઘના આર્કેડ થી નીકળેલી ભવ્ય તિરંગા યાત્રામાં ભાજપના હોદ્દેદરો ,નગરપાલિકા ના સભ્યો સહીત ભાજપના કાર્યકરો અને મોટી સંખ્યામાં શહેરીજનો હાથમા તિરંગો લઇ જોડાયા હતા.આ તિરંગા યાત્રા ચૌટા બજાર થઇ જવાહર બાગ ખાતે પહોંચીને સમાપન કરવામાં આવ્યું હતુ.આ પ્રસંગે શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા ,નગરપાલિકાના પ્રમુખ લલીતા રાજપુરોહિત સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ્ય વિસ્તારમાં નીકળેલ તિરંગા યાત્રામાં તાલુકા ભાજપ પ્રમુખ અને અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના મહાનુભાવો સહિત ગ્રામજનો જોડાયા હતા