ભરૂચ : સાઇકલ પર ભારત ભ્રમણની યાત્રાએ નીકળેલા બુઢા અંકલનું સાઇક્લિસ્ટ ગ્રુપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું…

સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોચેલા સાઇક્લિસ્ટનું ભરૂચના સાઇક્લિસ્ટે સ્વાગત કરી તેમની સફરની શુભકામનાઓ પાઠવી હતી.

New Update
aaa

સમગ્ર ભારતનું ભ્રમણ કરી ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોચેલા સાઇક્લિસ્ટનું ભરૂચના સાઇક્લિસ્ટે સ્વાગત કરી તેમની સફરની શુભકામનાઓ પાઠવી હતી.

કહેવાય છે કેમાતા-પિતામાં ભગવાન વશે છેત્યારે આજની યુવાપેઢી પોતાના માતા-પિતા તેમજ પરિવારની આદર અને સન્માન સાથે સેવા તેવા શુભ આશય સાથે સમગ્ર ભારત ભ્રમણની યાત્રાએ નીકળેલા 49 વર્ષીય ઓમ ભગત નામના સાઇક્લિસ્ટ આજે ભરૂચ ખાતે આવી પહોચ્યા હતા. પોતાને બુઢા અંકલ તરીકે ઓળખાવતા સાઇક્લિસ્ટ ઓમ ભગત ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોચતા ભરૂચના સાઇક્લિસ્ટ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાઇક્લિસ્ટ ઓમ ભગત અત્યાર સુધીમાં 28 હજાર કિલોમીટર સાયકલિંગ કરી ચૂક્યા છે. જેમાં ચારધામ અને 12 જ્યોતિર્લિંગની તેઓ યાત્રા કરી ચૂક્યા છેઅને હવે સમગ્ર ભારત દર્શન જેમાં તેઓ લગભગ 50 હજાર કિલોમીટર પૂર્ણ કરશે. ગત વર્ષે જ તેઓને પેરાલીસીસનો અટેક પણ આવી ચૂક્યો હતોપણ મક્કમ મનોબળ અને હિંમત હાર્યા વિના 28 હજાર કિલોમીટર સાયકલિંગ કરી તેઓ ભરૂચ આવી પહોચ્યા હતા.