અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન..! : વળતર ચૂકવવા ભરૂચ-આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તંત્રને આવેદન...

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયું મોટું નુકશાન

Advertisment

નુકશાન સામે ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી

ભરૂચ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ

મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત

સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવા માંગ કરી

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીજ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર ભરૂચ જીલ્લામાં ખેડૂતોએ સારા પાકની ઉપજ સાથે વિવિધ શાકભાજી સહિતના વિવિધ ખેતીપાકનું વાવેતર કર્યું હતું. જોકેપાછોતરા વરસાદે જાણે વેર વાળ્યો હોય તેવી પ્રતીતિ તાહિ રહી છે. વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છેત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકશાન સામે ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકશાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસારચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે સોરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી સહાય આપવા ભરૂચ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

Advertisment

તો બીજી તરફભરૂચ જિલ્લાના આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોને થયેલી નુકશાની સહાય તાત્કાલીક ચૂકવવા આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. એક તરફ દિવાળીના તહેવારો માથા પર હોય અને નુકશાનીનું સર્વે પણ પૂર્ણ થઇ ગયું હોવા છતાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથીત્યારે નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય સ્થિતી બની હોયજેથી ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો વચ્ચે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકશાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો માંગ કરી રહ્યા છે.

Advertisment
Read the Next Article

ભરૂચ : ઇતિહાસના સાક્ષી, અવગણનાના શિકાર બન્યા નર્મદા ઘાટ,પર્યટન સ્થળ તરીકે  પુનઃવિકાસની ઉઠી પોકાર

સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબ, ભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓ, પવિત્ર સ્નાન, તહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા.

author-image
By Connect Gujarat Desk
New Update
  • નર્મદા ઘાટ બન્યા દુર્દશાનો શિકાર

  • ઇતિહાસના સાક્ષી ઘાટોની અવગણના

  • પવિત્ર ઘાટ પર સંતો અને ઋષિઓએ કર્યા છે તપ

  • વારાણસી મુજબ જ નર્મદા ઘાટનાં વિકાસનો પોકાર

  • પર્યટન સ્થળ તરીકે ઘાટનાં વિકાસ માટે ઉઠી માંગ 

Advertisment

ભરૂચના નર્મદા કિનારાનાં ઘાટ આજે પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમી રહ્યા છે. સ્થાનિક રહીશો અને ધાર્મિક સંગઠનો મુજબભૂતકાળમાં આ ઘાટો પર ધાર્મિક ક્રિયાઓપવિત્ર સ્નાનતહેવાર અને આરતી જેવી પરંપરાઓ નિયમિત રીતે થતા હતા. આ ઘાટો પર સંતો અને ઋષિઓએ તપ કર્યા હતા,તો કેટલાક ઘાટો ઐતિહાસિક યુદ્ધો અને યાત્રાઓના સાક્ષી રહ્યા છે. આજના સમયમાં આ ઘાટો તૂટી ગયેલી પાળીઓકચરો અને પાણીના ભરાવા સહિત ગંદકી જેવી સમસ્યાઓથી ઘેરાયેલા છે.

ભરૂચની જનતાનું કહેવું છે કે સરકાર દ્વારા 'સ્ટેચ્યુ ઓફ યુનિટીજેવા વિશ્વવિખ્યાત પ્રોજેક્ટ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યોપણ એ જ નર્મદા નદીના પવિત્ર ઘાટો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. ત્યાં લાઇટિંગ,પીવાનું પાણી,શૌચાલય કે બેસવાની વ્યવસ્થાઓ પણ ઉપલબ્ધ નથી.

સ્થાનિક સામાજિક કાર્યકરોઐતિહાસિક રસ ધરાવતા લોકો અને ધાર્મિક સંગઠનો સરકારને આગ્રહ કરી રહ્યા છે કે નર્મદા ઘાટોનું દસ્તાવેજી કરણ કરવામાં આવેઅને તેમની પૌરાણિક તથા ઐતિહાસિક મહત્તાને પ્રકાશમાં લાવીને ઘાટોનું સૌંદર્યકરણ કરવામાં આવે. સાથે જ ઘાટોની કથાઓ અને ઇતિહાસ દર્શાવતું દ્રશ્ય અને ઓડિયો માર્ગદર્શન દિવાલ ચિત્રો અને સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ કરવાથી ધાર્મિક પર્યટન વધારી શકાય તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. 

Advertisment