અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન..! : વળતર ચૂકવવા ભરૂચ-આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તંત્રને આવેદન...

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયું મોટું નુકશાન

નુકશાન સામે ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી

ભરૂચ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ

મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત

સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવા માંગ કરી

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીજ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર ભરૂચ જીલ્લામાં ખેડૂતોએ સારા પાકની ઉપજ સાથે વિવિધ શાકભાજી સહિતના વિવિધ ખેતીપાકનું વાવેતર કર્યું હતું. જોકેપાછોતરા વરસાદે જાણે વેર વાળ્યો હોય તેવી પ્રતીતિ તાહિ રહી છે. વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છેત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકશાન સામે ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકશાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસારચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે સોરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી સહાય આપવા ભરૂચ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

તો બીજી તરફભરૂચ જિલ્લાના આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોને થયેલી નુકશાની સહાય તાત્કાલીક ચૂકવવા આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. એક તરફ દિવાળીના તહેવારો માથા પર હોય અને નુકશાનીનું સર્વે પણ પૂર્ણ થઇ ગયું હોવા છતાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથીત્યારે નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય સ્થિતી બની હોયજેથી ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો વચ્ચે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકશાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.