અતિવૃષ્ટિથી ખેડૂતોને નુકશાન..! : વળતર ચૂકવવા ભરૂચ-આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિનું તંત્રને આવેદન...

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરી, જ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

New Update

જીલ્લામાં અતિવૃષ્ટિથી ખેડૂતોને થયું મોટું નુકશાન

નુકશાન સામે ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી

ભરૂચ અને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિની માંગ

મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપી રજૂઆત

સરકાર દ્વારા સર્વે કરાવી સહાય આપવા માંગ કરી

ભરૂચ જીલ્લામાં અતિવૃષ્ટિથી થયેલા નુકસાન સામે ખેડૂતોને વળતર આપવા બાબતે ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદાર કચેરીજ્યારે આમોદ તાલુકા કોંગ્રેસ દ્વારા આમોદ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

સમગ્ર ભરૂચ જીલ્લામાં ખેડૂતોએ સારા પાકની ઉપજ સાથે વિવિધ શાકભાજી સહિતના વિવિધ ખેતીપાકનું વાવેતર કર્યું હતું. જોકેપાછોતરા વરસાદે જાણે વેર વાળ્યો હોય તેવી પ્રતીતિ તાહિ રહી છે. વરસાદના કારણે ખેતીપાકને ભારે નુકશાન પહોચ્યું છેત્યારે અતિવૃષ્ટિથી થયેલા નુકશાન સામે ખેડૂતોને વળતર ચૂકવાય તે માટે રજૂઆતો પણ કરવામાં આવી છે. તેવામાં ભરૂચ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોના પાકને થયેલા નુકશાન બાબતે વળતર આપવા ભરૂચ મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. આવેદન પત્રમાં જણાવ્યા અનુસારચાલુ વર્ષે ચોમાસામાં અનરાધાર વરસેલા વરસાદના પગલે સોરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકશાન થવા પામ્યું છે. જેના કારણે ખેડૂતોને મોટાપાયે નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય મળે તે માટે પાકનો સર્વે કરાવી સહાય આપવા ભરૂચ તાલુકા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે.

તો બીજી તરફભરૂચ જિલ્લાના આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ નરેન્દ્ર પટેલની આગેવાની હેઠળ ખેડૂતોને થયેલી નુકશાની સહાય તાત્કાલીક ચૂકવવા આમોદ મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. ગુજરાતમાં સૌરાષ્ટ્રદક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા ખેડૂતોના પાક અને જમીન ધોવાયા હતા. એક તરફ દિવાળીના તહેવારો માથા પર હોય અને નુકશાનીનું સર્વે પણ પૂર્ણ થઇ ગયું હોવા છતાં અતિવૃષ્ટિ અને પૂરની સમસ્યાથી પીડિત એવા ખેડૂતોને આજદિન સુધી સરકારની એક પણ રૂપિયાની સહાય મળી નથીત્યારે નવી ખેતી ઉભી કરવા માટે પણ ખેડૂતોની દયનિય સ્થિતી બની હોયજેથી ડિજિટલ ઇન્ડિયાની ડંફાસો વચ્ચે સરકાર દ્વારા વહેલી તકે ખેડૂતોને આર્થિક સહાય મળે અને પાકની નુકશાનીમાં મદદ મળી રહે તે માટે પાકનો સર્વે કરી ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી આમોદ તાલુકા કોંગ્રેસના આગેવાનો માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: આમોદ નજીક ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ, કલેકટરે નિરીક્ષણ કરી આપ્યા હતા આદેશ

ભારે વાહનો માટે ઢાઢર નદી પરના બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે

New Update
  • ભરૂચના આમોદથી જંબુસરને જોડતો બ્રિજ

  • ઢાઢર નદી પરનો બ્રિજ જર્જરીત હાલતમાં

  • કલેકટરે લીધી હતી મુલાકાત

  • બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરાયુ

  • ભારે વાહનો માટે બ્રિજ બંધ કરાયો

ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરના જર્જરીત બ્રિજની યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્રિજને ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

ભરૂચના આમોદથી જંબુસરને જોડતા ઢાઢર નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં થઈ ગયો હતો ત્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ગતરોજ બ્રિજનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક ધોરણે બ્રિજને ભારે વાહનો માટે બંધ કરી સમારકામના આદેશ આપવામાં આવ્યા હતા ત્યારે બ્રિજ પર યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે.

ભારે વાહનો માટે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહત્વનો બ્રિજ છે. જેના પરથી સેંકડો વાહનો પસાર થાય છે ત્યારે 60 વર્ષ જુનો બ્રિજ જર્જરીત થઈ જતા લોકોએ જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી હતી. મોડે મોડે પણ તંત્રએ જાગી બ્રિજનું સમારકામ શરૂ કર્યું છે.