ભરૂચ: નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ફરી ચોરીનો બનાવ, CCTV ફૂટેજ બહાર આવ્યા

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી  મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

New Update
  • ભરૂચમાં તસ્કરોનો આતંક

  • નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીનો બનાવ

  • મોબાઈલ શોપમાં તસ્કરે કર્યો હાથ ફેરો 

  • ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

  • અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરમાં થઈ હતી ચોરી

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી  મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાતે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજીત 50થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આજ શોપિંગમાં તારીખ 22 માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી. એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: હાંસોટના વધવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આયોગ્ય વિભાગ દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરાયુ

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ

New Update
IMG-20250714-WA0015

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એસ.દુલેરાની દેખરેખ હેઠળ ભરૂચ જિલ્લામાં નેશનલ કવોલિટી એસ્યોરન્સ પ્રોગ્રામ (NQAS) અંતર્ગત નેશનલ લેવલ એસેસમેન્ટ-રાષ્ટ્રીય કક્ષાનું નિરિક્ષણ કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઇલાવના વઘવાણ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે આરોગ્ય વિભાગના ડો.મનીષ શર્મા અને ડો.સુનીતા ડોહાન દ્વારા નેશનલ લેવલ એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું.

IMG-20250707-WA0138

જેમાં આયુષ્યમાન આરોગ્ય મંદિરની આરોગ્યલક્ષી સેવાઓનું મુલ્યાંકન કરીને ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન આરોગ્ય વિભાગના કર્મીઓનું આરોગ્યલક્ષી જ્ઞાન, રજીસ્ટર નિભાવણી તેમજ તેઓ દ્વારા આપવામાં આવતી આરોગ્ય સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવે છે.અસેસમેન્ટ દરમિયાન સગર્ભા પ્રસૂતાની સેવા, બાળ-સંભાળ અને સારવાર, કુટુંબ કલ્યાણની સેવાઓ, ચેપી તથા બિનચેપી રોગોનું સંચાલન, સામાન્ય રોગોની સારવાર, ઈમરજન્સી સેવાઓની તથા યોગ-પ્રાણાયમ સહિત આયુર્વેદિક સેવાઓની પણ ગુણવત્તા ચકાસણી કરી ખાતરી કરવામાં આવી હતી.