ભરૂચ: નેશનલ ટ્રેડ સેન્ટરની મોબાઈલ શોપમાં ફરી ચોરીનો બનાવ, CCTV ફૂટેજ બહાર આવ્યા

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી  મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે

New Update
  • ભરૂચમાં તસ્કરોનો આતંક

  • નેશનલ ટ્રેડ સેન્ટરમાં ચોરીનો બનાવ

  • મોબાઈલ શોપમાં તસ્કરે કર્યો હાથ ફેરો 

  • ચોરીની ઘટનાના CCTV ફૂટેજ બહાર આવ્યા

  • અગાઉ પણ આ જ શોપિંગ સેન્ટરમાં થઈ હતી ચોરી

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં આવેલ મોબાઈલ શોપમાં સતત બીજી  મોબાઈલ શોપમાં ચોરીની ઘટના સામે આવી છે.ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે
એક જ અઠવાડિયામાં ભરૂચ શહેરના ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં આવેલ નેશનલ ટ્રેડ સેન્ટરમાં મોબાઈલ શોપમાં ચોરીની બનતી ઘટનાઓને લઈ વેપારીઓ પોતાને અસુરક્ષિત મહેસુસ કરી રહ્યા છે ત્યારે ગતરોજ મોડી રાતે વધુ એક મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી.તસ્કરોએ અંદર પ્રવેશ કરી દુકાનમાં રહેલ લેપટોપ મળી કુલ અંદાજીત 50થી 60 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.આજ શોપિંગમાં તારીખ 22 માર્ચના રોજ પણ ચોરીની ઘટના બની હતી. એક જ તસ્કરે ચોરીની આ ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું દુકાનદારો જણાવી રહ્યા છે.ચોરીની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.બનાવની જાણ થતાની સાથે જ એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તસ્કરોનું પગેરું મેળવવા કવાયત હાથ ધરી હતી.
Read the Next Article

અંકલેશ્વર: સંસ્કારદીપ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ISRO -YUVIKAની 15 દિવસની ટ્રેનીંગમાં લીધો ભાગ

ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી જેમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી છે શાળા

  • સંસ્કારદીપ વિદ્યાલયના વિદ્યાર્થીની સિદ્ધિ

  • ISRO -YUVIKAની ટ્રેનીંગમાં લીધો ભાગ

  • ધોરણ 10માં અભ્યાસ કરે છે વિદ્યાર્થી

  • શાળા પરિવારે પાઠવ્યા અભિનંદન

અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય લકકડે ઇસરો યુવીકા 2015 અંતર્ગત 15 દિવસની તાલીમમાં ભાગ લીધો હતો. ISRO -YUVIKA 2025 અંતર્ગત 15 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં દેશ ભરમાંથી 350 જેટલા વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ તાલીમ વર્ગમાં ગુજરાતના 11 વિદ્યાર્થીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે આ તાલીમ વર્ગમાં અંકલેશ્વર જી.આઈ.ડી.સીની સંસ્કાર દીપ વિદ્યાલયમાં ધોરણ-10માં અભ્યાસ કરતા ચૈતન્ય અરુણ લકકડની પણ પસંદગી કરવામાં આવી હતી.ચૈતન્યએ માઉન્ટ આબુ ખાતે યોજાયેલ ટ્રેનિંગમાં ભાગ લીધો હતો જ્યાં તેણે રોકેટ બનાવવા સહિતની ટ્રેનિંગ મેળવી વિવિધ પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો હતો.
ટ્રેનીંગમાં ભાગ લેવા  બદલ શાળાના ટ્રસ્ટીઓએ વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.યુવિકા એટલે યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ ભારત સરકાર દ્વારા યુવાનોમાં અવકાશ તકનીકોમાં પ્રારંભિક રસ પેદા કરવા માટે શરૂ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમની સત્તાવાર જાહેરાત 18 જાન્યુઆરી, 2019ના રોજ ISRO દ્વારા કરવામાં આવી હતી.