New Update
/connect-gujarat/media/media_files/2025/05/14/EJokRBzYlRmHw38R1qwK.jpg)
નવી દિલ્હીના ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ૧૦ મે ૨૦૨૫ના રોજ ‘ઓપરેશન સિંદુર’નો આભાર વ્યક્ત કરતી કેલીગ્રાફી પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કેલીગ્રાફી કલાકાર ગોરી યુસુફ હુસેનજીએ પોતાની દેશભાવનાને કેલીગ્રાફી થકી વ્યક્ત કરી ‘ઓપરેશન સિંદુર’નો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે સાથે પહેલગામ આંતકી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ સહેલાણીઓને શ્રધાસુમન વ્યકત કર્યા હતા.
કેલીગ્રાફી પ્રદર્શની નવી દિલ્હીના ઇન્ડિયન ઇ સ્લામિક કલ્ચરલ સેન્ટર ખાતે ખાસ જશ્ન-એખત્તાતી નામથી યોજવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ઓપરેશન સિંદુર’ના માનમાં અને જયારે પણ દેશની સુરક્ષા માટે પોતાનું બલિદાન આપતા કે ઘાયલ થતે સેનાનીઓના પરિવારને સહાયરૂપ થવા માટેનો હતો જેમાં દેશભરના કેલીગ્રાફિ આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃંતિઓ પ્રદર્શનીમાં મુકી હતી.‘જશ્ન-એખત્તાતી એક્ઝીબિશન’ પ્રદર્શનીનું ઉદઘાટન ભૂતપૂર્વ વિદેશ મંત્રી , સલમાન ખુર્શીદજીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના કેલીગ્રાફિ આર્ટિસ્ટોએ પોતાની ઉત્કૃષ્ટ કૃંતિઓ પ્રદર્શનીમાં મુકી હતી. આ પ્રદર્શનીમાં દેશભરમાંથઈ કુલ ૧૭ કેલીગ્રાફરોની કલાકૃતિની રજુ કરાઈ હતી. જેમાં આપણા ભરૂચ અને ગુજરાતમાંથી એકમાત્ર આંતરરાષ્ટ્રીય ખ્યાતી પ્રાપ્ત કેલીગ્રાફી કલાકાર શ્રી ગોરી યુસુફ હુસેનજીએ આ પ્રદર્શનીમાં ભારતની વીર બહાદુર જવાનોના માનમાં પોતાની કેલીગ્રાફી કલાકૃતિ ‘ઓપેરશન સિંદુર’ ને અનોખી રીતે સલામી આપી હતી.