ભરૂચ : કબીરપુરા-ખત્રીવાડ ખાતે આયુર્વેદ શાખા અને બ્રહ્મસમાજ સંગઠન દ્વારા આયુર્વેદિક-હોમિયોપેથીક કેમ્પ યોજાયો...

Featured | સમાચાર , પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન

New Update

આયુર્વેદ શાખા અને બ્રહ્મસમાજ સંગઠન દ્વારા આયોજન

ખત્રીવાડ ખાતે આયુર્વેદિક-હોમિયોપેથીક કેમ્પ યોજાયો

નિષ્ણાત તબીબોએ મેડિકલ કેમ્પમાં પોતાની સેવા આપી

150થી વધુ લાભાર્થીઓએ મેડિકલ કેમ્પનો લ્હાવો લીધો

મોટી સંખ્યામાં બ્રહ્મસમાજના આગેવાનો-સભ્યોની ઉપસ્થિતિ

ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વરસાદની સીઝનમાં વાયરલ ઇન્ફેક્શનમેલેરિયાચામડીના રોગો સહિતના ઋતુજન્ય રોગના કેસો વધુ જોવા મળતા હોય છે. ઋતુજન્ય રોગના નિવારણ અર્થે આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગગુજરાત સરકાર અને નિયામક આયુષની કચેરી-ગાંધીનગર નિર્દેશિત ભરૂચ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમ યુવા પાંખના સહયોગથી આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન અને સારવાર કેમ્પ જુના ભરૂચના કબીરપુરા-ખત્રીવાડ સ્થિત જુના અંબાજી મંદિર ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં આયુર્વેદ વિભાગના તબીબ ડો. ક્રિષ્ના ફણસિયાકવિઠાના આયુર્વેદીક મેડિકલ ઓફિસર ડો. મનીષા વાઢીયાહોમિયોપેથીક ડો. કેતન પટેલએ પોતાની સેવાઓ આપી હતી.  આ પ્રસંગે શ્રી પરશુરામ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર રજનીકાંત રાવળશ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ પૂર્વ પ્રમુખ ગીરીશ શુક્લબ્રહ્મ અગ્રણી શૈલેષ દવેશ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિતબ્રહ્મસમાજ ભરૂચ શહેર એકમના પ્રમુખ હેમંત શુક્લમહામંત્રી રાજુ ભટ્ટજ્યેન્દ્ર ભટ્ટકેશવ શુક્લપ્રદીપ મોંઘે સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ જિલ્લામાં 67 ગ્રામપંચાયતની ચૂંટણીમાં આવતીકાલે મતદાન પ્રક્રિયા યોજાશે, વહીવટી તંત્ર બન્યું સજ્જ

ભરૂચ જિલ્લાની કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી

New Update
  • આવતીકાલે ગ્રામપંચાયતોની ચૂંટણી

  • ભરૂચની 67 પંચાયતોમાં યોજાશે મતદાન

  • 18 પંચાયત સમરસ જાહેર થઈ

  • ચૂંટણીની સામગ્રી મતદાન મથકો પર કરાય રવાના

  • ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાશે

પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામપંચાયતોની ચૂંટણીને લઇ ભરૂચ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આજરોજ  મામલતદાર કચેરીઓ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને કર્મચારીઓને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા હતા
ભરૂચ જિલ્લામાં આવતીકાલે યોજાનાર ગ્રામપંચાયત ચૂંટણીને લઈ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.જિલ્લાના વિવિધ તાલુકાઓમાં આવેલ મામલતદાર કચેરીઓમાંથી ચૂંટણી સામગ્રી તથા સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યા છે. આવતીકાલે તા.૨૨ જૂનના રોજ કુલ 67 ગ્રામપંચાયતોમાં મતદાન પ્રક્રિયા યોજાવાની છે.જિલ્લામાંથી 18 ગ્રામપંચાયતો સમરસ તરીકે જાહેર થવાથી ત્યાં ચૂંટણી યોજાવાની નથી. બાકીની 67 પંચાયતોમાં મતદાન માટે 174 મતદાન મથકો ગોઠવાયા છે.જ્યાં મતદારો સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધીમાં  મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
ભરૂચ જિલ્લામાં આવેલ 67 ગ્રામ પંચાયતોના 287 વોર્ડની ચૂંટણી પણ યોજાશે જેમાં 1.46 લાખ મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના કુલ 174 મતદાન મથકો પૈકી 20 મતદાન મથકોને અતિ સંવેદનશીલ તો 77 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે આ તરફ 874 જેટલા સરકારી કર્મચારીઓ ચૂંટણીને કામગીરીમાં જોડાશે મતદાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 665 પોલીસ કર્મીઓ ખડે પગે તેનાત રહેશે ભરૂચ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.