ભરૂચ: નરસિંહપુરા વિસ્તારમાં ન.પા.ના અધિકારીઓ વિરુદ્ધ લાગ્યા બેનર, જુઓ શું છે મામલો

ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી ગંદકી ફેલાવવા આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

New Update
  • ભરૂચના નરસિંહપુરાના રહીશોનો વિરોધ

  • વિસ્તારમાં માંસાહારી કચરો ઠલવાતો હોવાના આક્ષેપ

  • આસપાસની હોટલના સંચાલકો સામે રોષ

  • અધિકારીઓ વિરુદ્ધ રોષ વ્યકત કરતા બેનર લાગ્યા

  • કચરાના કારણે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચતી હોવાની રજુઆત

ભરૂચના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો ઠાલવી ગંદકી ફેલાવવા આવતી હોવાના આક્ષેપ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ભરૂચ શહેરના નરસિંહપુરા વિસ્તારમાં આસપાસની હોટલના સંચાલકો દ્વારા માંસાહારી કચરો  ઠાલવી લોકોની ધાર્મિક લાગણી દુભાવવા સાથે ગંદકી ફેલાવવામાં આવતા રહીશોએ પાલિકાના અધિકારીઓ વિરુધ બેનર લગાવી વિરોધ નોંધાવ્યો હતો.નરસિંહપુરાના રહીશોએ આખા વિસ્તારમાં ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર ખાટકીઓ મિત્ર હોવાના ચોકાવનારા આક્ષેપ સાથે બેનાગરો ટાંગી દીધા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે અહી આસપાસની માંસાહારી રેસ્ટોરન્ટ દ્વારા કિચન વેસ્ટનો નિકાલ કરી ધાર્મિક લાગણી દુભાવવામાં આવી રહી છે.બીજી તરફ અહી ખાટકીની દુકાનને ખોલવાના પ્રયાસ શરુ થઇ રહ્યા છે એવા આક્ષેપ સાથે  સ્થાનિકોનો પારો સાતમાં આસમાને પહોંચ્યો છે.
Read the Next Article

ભરૂચ: શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે 15 લોકો સાથે રૂ.1.59 કરોડની ઠગાઈ, એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ

New Update
  • ભરૂચમાં ચકચારી મામલો પ્રકાશમાં આવ્યો

  • 15 લોકો સાથે આચરવામાં આવી ઠગાઈ

  • શેરબજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચે ઠગાઈ

  • રૂ.1.59 કરોડની ઠગાઈ આચરવામાં આવી

  • ઠગ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાઇ ફરિયાદ

ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા કર્મકાંડી ભુદેવ સહિત 15 લોકો સાથે શેર બજારમાં ઉંચું વળતર અપાવવાની લાલચ આપી ભેજાબાજે રૂ. રૂ.1.59 કરોડની છેતરપીંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચના નંદેલાવ રોડ આશીર્વાદ બંગલોઝમાં રહેતા અને કર્મકાંડ તેમજ ખેતી કરતા ચેતનકુમાર ગણપતરામ પુરોહિતનો ચાર વર્ષ પહેલાં ભરૂચના નિપન નગરમાં રહેતા રાહુલ અરવિંદ પંચાલ સાથે પરિચય થયો હતો. ચેતને પોતે મુંબઈની આઈ.આઈ એફ.એલ.નામની કંપનીમાં શેર બ્રોકર કામ તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું તેમજ વધુ વળતર આપવાની ચેતનકુમારને લાલચ આપી હતી.વધુ વળતરની લાલચે ચેતન પુરોહિત અને અન્ય 15 જેટલા લોકોએ રાહુલ પંચાલને રૂ.1.59 કરોડ આપ્યા હતા.
શરૂઆતમાં રાહુલ વિશ્વાસ કેળવવા કેટલાક રૂપિયા વળતર પેટે પરત પણ આપ્યા હતા જોનકે બાદમાં તેણે રૂપિયા ચુકાવવાનું બંધ કરી દીધું હતું જેને પગલે ભેજાબાજ વિરુદ્ધ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.