ભરૂચ:બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા

બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંગીત સાથે રંગોની છોળો સહિત રંગારંગ રેલીમાં બંગાળી મોટી સંખ્યામાં લોકો જોડાયા

New Update
ભરૂચમાં હોળી ધુળેટીના પર્વની ઉજવણી
બંગાળી સમાજ દ્વારા કરાય ઉજવણી
બસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
સંગીતના તાલ સાથે રંગોની છોળ ઉડી
બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંગીત સાથે રંગોની છોળો સહિત રંગારંગ રેલીમાં બંગાળી મોટી સંખ્યામાં લોકો જોડાયા.
 ભરૂચમાં વસતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળની સાંસ્કૃતિક ઓળખ સમા બસંત બંગાળી હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.બંગાળી સમાજ શરબોજનીન  શરદોત્સવ  સમિતિ ઝાડેશ્વર દ્વારા રવીન્દ્રનાથ ટેગોર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલેકે  બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા  અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત ઝાડેશ્વર રોડ પર આવેલ મલ્ટિપ્લેક્સ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી રવીન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો  પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોળો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમા નંદી, અનંદિતા મંડલ, અનંતો ઘોષ, ઝૂમા મૈતી સહિત અન્ય અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
Read the Next Article

અંકલેશ્વર : કોસમડી ગામે વીજ તાર તૂટીને પડવાથી બે અબોલ પશુઓના વીજ કરંટથી મોત

અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

New Update
  • કોસમડીમાં વીજ તાર તૂટીને પડવાનો મામલો

  • બે મહિલાઓ પશુ ચરાવવા માટે ગઈ હતી 

  • સાંજે પરત ફરીથી વેળાએ બની ઘટના

  • ખાડી પાસે વીજ તાર તૂટીને પડ્યો હતો

  • વીજ કરંટ લાગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત

અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામની ખાડી પાસે વીજ લાઈનનો એક તાર તૂટીને પડ્યો હતો,જેનો કરંટ બે અબોલ પશુઓને લગતા મોતને ભેટ્યા હતા. અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામના નવાપરા ફળિયામાં રહેતા જમણા વસાવા અને રેવા વસાવા પોતાની ભેંસોને ચરાવવા માટે ગામની સીમમાં ગયા હતા,ત્યાંથી સાંજના સુમારે પરત ફરતી વેળાએ એક દુર્ઘટના સર્જાય હતી.

જેમાં કોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લાગ્યો હતો,વીજ કરંટના જોરદાર ઝટકાથી એક ભેંસ અને પાડાના મોત નિપજ્યા હતા,ઘટના અંગે જમના વસાવાએ જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.