ભરૂચ:બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે હોળી-ધુળેટીના પર્વની ઉજવણી,મોટી સંખ્યામાં લોકો જોડાયા

બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંગીત સાથે રંગોની છોળો સહિત રંગારંગ રેલીમાં બંગાળી મોટી સંખ્યામાં લોકો જોડાયા

New Update
ભરૂચમાં હોળી ધુળેટીના પર્વની ઉજવણી
Advertisment
બંગાળી સમાજ દ્વારા કરાય ઉજવણી
બસંત ઉત્સવની ઉજવણી કરવામાં આવી
મોટી સંખ્યામાં લોકો જોડાયા
સંગીતના તાલ સાથે રંગોની છોળ ઉડી
બંગાળી હોળી બસંત ઉત્સવની ભરૃચના બંગાળી સમાજ દ્વારા પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. સંગીત સાથે રંગોની છોળો સહિત રંગારંગ રેલીમાં બંગાળી મોટી સંખ્યામાં લોકો જોડાયા.
Advertisment
 ભરૂચમાં વસતા બંગાળી પરિવારજનો દ્વારા બંગાળની સાંસ્કૃતિક ઓળખ સમા બસંત બંગાળી હોળીની રંગારંગ ઉજવણી કરવામાં આવી હતી.બંગાળી સમાજ શરબોજનીન  શરદોત્સવ  સમિતિ ઝાડેશ્વર દ્વારા રવીન્દ્રનાથ ટેગોર દ્વારા શરૂ કરાયેલ બસંત ઉત્સવ એટલેકે  બંગાળી હોળી ઉત્સવની બંગાળી પરંપરાને જાળવી રાખી નવી પેઢીમાં પણ તેના સંસ્કારનું સિંચન થાય તેવા આશય સાથે છેલ્લા  અગિયાર વર્ષથી ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત ઝાડેશ્વર રોડ પર આવેલ મલ્ટિપ્લેક્સ ખાતેથી રંગારંગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બંગાળી રવીન્દ્ર સંગીતના તાલે બંગાળી ભાઈ બહેનો  પરંપરાગત વસ્ત્રો પરિધાન કરી રંગોની છોળો ઉડાવતા બંગાળી સંસ્કૃતિને ઉજાગર કરતા જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સોમા નંદી, અનંદિતા મંડલ, અનંતો ઘોષ, ઝૂમા મૈતી સહિત અન્ય અગ્રણીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો
Advertisment
Read the Next Article

ભરૂચ : સાવરણી વેચીને જીવન ગુજારતા વૃદ્ધ દંપતી તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા, શંકાસ્પદ કોરોના લક્ષણો જોઈ હોસ્પિટલ ખસેડાયા

ભરૂચના મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

New Update
ભરૂચ 1222

ભરૂચના  મુલદ ચોકડી વિસ્તારમાં લુણાવાડાના મૂળ રહેવાસી અને હાલ સાવરણી વેચીને પોતાનું જીવન નિર્વાહ કરતા વૃદ્ધ દંપતી અચાનક તબિયત બગડતાં રસ્તા પર ઢળી પડ્યા હતા.

Advertisment

આ ઘટના સમયે ત્યાં નજીક રિક્ષા લઈને ઉભેલા શખ્સે માનવતા દેખાડી અને તત્કાલ ભરૂચ 108 ઇમરજન્સી સેવાને જાણ કરી હતી.108 ની ટીમ ઘટનાસ્થળે તરત પહોંચી અને દંપતીને પ્રાથમિક સારવાર આપી. આ દરમિયાન તેમનામાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો જોવા મળતાં, સલામતીના પગલાં તરીકે બંનેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હાલ સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીઓની વધુ તપાસ અને કોરોના રિપોર્ટ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisment