ભરૂચ: નેત્રંગમાં ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ, પૂર્વ MLA મહેશ વસાવા જોડાય એવી ચર્ચા !

ભરૂચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

New Update
  • ભરૂચના નેત્રંગમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ

  • આગેવાન દિલીપ વસાવા રહ્યા ઉપસ્થિત

  • આદિવાસીઓ આગેવાનોએ આપી હાજરી

  • સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની તૈયારી

ભરૂચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી નેત્રંગના લાલમંટોડી વિસ્તારમાં પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો સંવિધાનને સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલિપ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ વસાવા એક વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે.મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં  તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણી યોજાનાર છે.વાલીયા-ઝઘડીયા તાલુકામાં લિગનાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવા એકમંચ ઉપર સાથે જોવા મળ્યા હતા.
Read the Next Article

ભરૂચ : નંદેલાવ બ્રિજ નીચે કેમિકલ ભરેલું કન્ટેનર પિલર સાથે ધડાકાભેર અથડાતા મંગલદીપ સોસાયટીની દિવાલ તૂટી

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી

New Update
  • નંદેલાવ બ્રિજ પાસે સર્જાયો અકસ્માત

  • બેલગામ કન્ટેનર બ્રિજના પિલરમાં ભટકાયું

  • પિલર બાદ મંગલદીપ સોસાયટીમાં પણ અથડાયું

  • સોસાયટીના મંદિરની દીવાલ તૂટતા નુકસાન

  • જાનહાની ટળતા લોકોએ લીધો રાહતનો શ્વાસ

ભરૂચની મઢુલી ચોકડી નજીક કેમિકલ ભરેલ કન્ટેનરના ચાલકે નવા બ્રિજના પિલરને ટક્કર મારી હતી. ત્યારબાદ કન્ટેનર મંગલદીપ સોસાયટીની કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા અફરાતફરી મચી હતી.
 
ભરૂચ દહેજ બાયપાસ માર્ગ પર નંદેલાવ પાસે નવા બ્રિજ નીચે ગુરુવારે એક ગંભીર અકસ્માત થયો હતો. હજીરા અદાણીથી કેમિકલ ભરેલું કન્ટેનર દહેજ સ્થિત મેઘમણી કંપનીમાં જઈ રહ્યું હતું. એ દરમિયાન કન્ટેનર ચાલકનો સ્ટિયરિંગ પર નિયંત્રણ ખોરવાતા કન્ટેનર સીધું નવા પિલરને અથડાઈને સીધુ મંગલદીપ સોસાયટીની મંદિરે જોડાયેલી કમ્પાઉન્ડ વોલમાં ટકરાયું હતું.

આ અકસ્માતમાં બ્રિજના પિલર સાથે સાથે મંદિરની દિવાલને પણ ગંભીર નુકસાન થયું હતું. જોકે, ઘટના દરમિયાન કોઈપણ જાતની જાનહાની ન પહોંચતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કન્ટેનરનો ચાલક દ્વારા કન્ટેનરને બેલગામ દોડાવવામાં આવી રહ્યું હતું.ઘટનાના પગલે સ્થળ પર તાત્કાલિક ફાયર વિભાગ તથા પોલીસ દોડી આવી હતી. ભારે વજનના કેમિકલ ભરેલા કન્ટેનરને સ્થળ પરથી દૂર કરવા ત્રણ હાઇડ્રાની મદદ લેવાઈ હતી. લાંબા સમય બાદ માર્ગ પર સર્જાયેલો ટ્રાફિક પુનઃ રાબેતા મુજબ થયો હતો.મંગલદીપ સોસાયટીના પ્રમુખ જીતુ  પ્રજાપતિએ જણાવ્યું હતું કે,કન્ટેનર અમારા મંદિરની દીવાલ તોડી ઘૂસી ગયું હતું. સદનસીબે કોઈ વ્યક્તિ ત્યાં નહોતી. પરંતુ આવી ઘટનાઓથી ભવિષ્યમાં વધુ ગંભીર પરિસ્થિતિ ઉભી ન થાય એ માટે પગલાં લેવા જરૂરી છે.