ભરૂચ: PM નરેન્દ્ર મોદીના કાર્યકાળના 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી, સરકારની સિદ્ધિઓનું પ્રદર્શન યોજાયું

મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

  • ભાજપ દ્વારા કરવામાં આવી ઉજવણી

  • ભરૂચમાં યોજાયું પ્રદર્શન

  • સરકારની સિદ્ધિઓ દર્શાવવામાં આવી

  • ભાજપના આગેવાનો-કાર્યકરો જોડાયા

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શક્તિનાથ મહાદેવ મંદિરના સત્સગ હોલ ખાતે પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું
મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા  વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના શક્તિનાથ મહાદેવ મંદિર સ્થિત સત્સંગ હોલ ખાતે વડાપ્રધાનની અગિયાર વર્ષની સિદ્ધિઓ અને યાત્રાને દર્શાવતા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રદર્શનમાં વડાપ્રધાનના કાર્યકાળ દરમિયાન શરૂ થયેલ અને સફળતાપૂર્વક અમલમાં આવેલા વિકાસ કામો, યોજનાઓ તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સફળતાઓને દર્શાવવામાં આવી છે.
આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના સાંસદ મનસુખ વસાવા, મહામંત્રી નિરલ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ તથા યુવા મોરચા પ્રમુખ રૂષભ પટેલ સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.દિલ્હીથી ગ્રામ્ય ભારતમાં આવેલા પરિવર્તન, જનકલ્યાણ યોજનાઓ, આત્મનિર્ભર ભારત, ડિજિટલ ઈન્ડિયા, આયુષ્માન ભારત, સ્વચ્છ ભારત અભિયાન અને નરેન્દ્ર મોદીના વૈશ્વિક નેતૃત્વ જેવી અનેક સિદ્ધિઓને આ પ્રદર્શન દ્વારા જનતાને રૂબરૂ કરાવવામાં આવી હતી.
Read the Next Article

ભરૂચ : જિલ્લાની 67 ગ્રામ પંચાયત રાજની ચૂંટણી માટે યોજાયું મતદાન,મતદારોનો જોવા મળ્યો ઉત્સાહ

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી

New Update

ભરૂચ જિલ્લામાં પંચાયતીરાજની યોજાઈ ચૂંટણી

67 ગ્રામ પંચાયતો માટે યોજાઈ ચૂંટણી

શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન્ન

વૃદ્ધ અને અશક્ત મતદારોએ પણ બતાવ્યો ઉત્સાહ

ઉમેદવારોના ભાવિ મતપેટીમાં સીલ  

25 જૂને યોજાશે મતગણતરી

ભરૂચ જિલ્લાની પંચાયતીરાજની ચૂંટણી માટે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.સવારના 7 વાગ્યાથી શરૂ થયેલા મતદાન પ્રક્રિયામાં મતદારોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચ જિલ્લાની કુલ 85 ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત થઇ હતી,જેમાંથી 18 પંચાયતો સમરસ જાહેર થઇ હતી,તેથી 67 ગ્રામ પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી.જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.અને સવારથી જ મતદારોમાં મતદાન માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભરૂચના તવરા,ઝાડેશ્વર, બંબુસર સહિતની ગ્રામ પંચાયતો માટે મતદાન પ્રક્રિયા યોજાઇ હતી.બંબૂસર ગામે સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ હતી.બંબુસર ગામે સરપંચ પદ માટે અત્યાર સુધી સમરસ થતું આવ્યું હતું અને 2021માં ચૂંટણી યોજાઈ હતી.જેમાં મતદાનના 2 દિવસ પહેલા સરપંચ પદના ઉમેદવારનું નિધન થતા ચૂંટણી ઠેલાઈ હતી. સરપંચ પદ માટે હાલ યોજાઈ રહેલી ચૂંટણીમાં બંબૂસર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાઈ છે.જેમાં 3 ઉમેદવારોએ ઉમેદવારી કરતા આજરોજ મતદાન યોજાયું હતું.અને  મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

આ ઉપરાંત તવરા ગ્રામ પંચાયતની બેઠક પર મતદાન બુથ પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી,અને વરસતા વરસાદમાં પણ મતદારોનો ઉત્સાહ જોવા મળ્યો હતો.

મતદાન પ્રક્રિયા દરમિયાન પોલીસ દ્વારા અશક્ત મતદારો માટે સરાહનીય કામગીરી કરવામાં આવી હતી,અને લોકશાહીના પર્વમાં વૃદ્ધ અને અશક્ત મતદારોએ ઉત્સાહભેર મતદાન કરીને અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા હતા.  

અંકલેશ્વર તાલુકામાં 23 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ હતી.તાલુકાની કુલ 27 ગ્રામ પંચાયતમાંથી 4 પંચાયતો સમરસ જાહેર થઈ હતી.23 ગ્રામ પંચાયતોમાંથી 12 ગ્રામ પંચાયતોને સંવેદનશીલ જાહેર કરવામાં આવી હતી.ચૂંટણીની કામગીરીમાં 250 કર્મચારીઓ જોડાયા હતા. મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

અંકલેશ્વરના માંડવા,કોસમડી,સજોદ સહિત 23 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.અને ઉમેદવારોએ પોતાની જીતના દાવા કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી તારીખ 25મી જૂનના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી યોજવામાં આવશે,અને ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.