New Update
-
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
-
ડો.આંબેડકર જયંતિની ઉજવણી
-
પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
-
પૂર્વ સાંસદ ભારતસિંહ પરમારે આપ્યું વક્તવ્ય
-
પ્રબુદ્ધ નાગરિકો રહ્યા ઉપસ્થિત
ભરૂચ ભાજપ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે પ્રબુધ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેન્ક હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું.
ગુજરાત પ્રદેશ ભાજપના સાઉથ ઝોનના મીડિયા કન્વીનર દિપીકાબેન ચાવડા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ભરતસિંહ પરમારની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રિતેશ વસાવા અને ડી કે સ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જીવન દર્શન અને વિચારધારાની વક્તાઓ દ્વારા સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમનું આયોજન જિલ્લા ભાજપના અગ્રણીઓ કનુભાઈ પરમાર , ફતેસિંહ ગોહિલ અને અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ અવસરે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories