ભરૂચ: મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા કાર્યશાળાનું આયોજન, સરકારની સિદ્ધિઓ વર્ણવાય

મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...

New Update

મોદી સરકારના 11 વર્ષની ઉજવણી, વિશેષ કાર્યશાળા યોજાય, સરકારની સિદ્ધિઓ વર્ણવાય

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા "વિકસિત ભારતના અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે હિતેશ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ  ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસતૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ  પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

 
Read the Next Article

ભરૂચ: આશ્રય સોસા.થી નિકળનાર રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા, તંત્ર સામે લોકોમાં રોષ

રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો

New Update
  • ભરૂચમાં આવતીકાલે નિકળશે રથયાત્રા

  • ભગવાન નિકળશે નગરચર્યાએ

  • રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા

  • પાણી ભરાવાની પણ સમસ્યા

ભરૂચમાં જગન્નાથ રથયાત્રા પૂર્વે માર્ગની કફોડી હાલત પર ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. આશ્રય સોસાયટીથી નિકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર ખાડા પડેલા હોવાથી લોકોએ નગરપાલિકા સામે ફિટકાર વરસાવ્યો હતો.
આવતીકાલે શહેરના આશ્રય સોસાયટી નજીક આવેલા જગન્નાથ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ થવાનો છે. ભક્તિ અને શ્રદ્ધાભર્યુ આ પર્વ ઉજવવા માટે ભરૂચવાસીઓમાં ઉત્સાહની લહેર છે. જોકે યાત્રાના માર્ગની હાલત અત્યંત બિસમાર હોવાથી લોકમાત્રમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.
રથયાત્રા જે માર્ગ પરથી પસાર થવાની છે તે માર્ગ પર અગાઉ બે વખત નવીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હોવા છતાં રસ્તાની હાલત કોઇ જ સુધરી નથી. મોટા ખાડાઓ, નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવા કારણે રસ્તો જર્જરિત થયો છે.સ્થાનિક રહીશોએ પાલિકા તંત્ર સામે કટાક્ષ કરીને કહ્યું કે જેમને આવા પવિત્ર તહેવારોના માર્ગોની વ્યવસ્થા કરવા જાગૃત હોવું જોઈએ તેઓ નિંદ્રાધીન જણાય છે.