ભરૂચ:સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

New Update
  • આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ

  • ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કર્યું

  • સોનેરી મહલ વિસ્તારમાં આવેલી છે પ્રતિમા

  • સરદાર પટેલના કાર્યોને યાદ કરવામાં આવ્યા

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ અંતર્ગત ભરૂચ શહેરના સોનેરી મહેલ ખાતે સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
અખંડ ભારતના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મ જયંતિની ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ભરૂચના સોનેરી મહલ સર્કલ સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરોએ પુષ્પાંજલી અર્પણ કરી હતી.
Read the Next Article

ભરૂચ : વરસાદથી ક્ષતિગ્રસ્ત અંકલેશ્વર-ઝઘડીયા-રાજપીપલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા માર્ગનું યુદ્ધના ધોરણે સમારકામ

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા

New Update
MixCollage-13-Jul-2025-08-

ભરૂચ જિલ્લામાં વરસાદના કારણે ક્ષતિગ્રસ્ત થયેલા માર્ગોનું સમારકામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે.

જે અંતર્ગત અત્યાર સુધીમાં માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) દ્વારા ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કુલ ખરાબ ૧૫.૪૦૦ કિમીથી વધુ લંબાઈના માર્ગોની મરામત કામગીરી પૂર્ણ કરાઈ છે. જેમાં કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર અને ૧૦ રોલરની મદદથી ૧૧૭ થી વધુ શ્રમયોગીઓ દ્વારા આ સમગ્ર કામગીરી કરવામાં આવી રહી છે. 
આ મરામત કામગીરીમાં માર્ગના ક્ષતિગ્રસ્ત ભાગોનું સમારકામ, પેચવર્કની કામગીરી આયોજનબદ્ધ રીતે હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લામાં પણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંકલેશ્વરથી ઝઘડીયા અને રાજપીપલા-સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે નં- ૬૪, રાજપારડી- નેત્રંગ, અસા - ઉમલ્લા -પાણેથા, રોડ ઉપર કુલ ૧૨ જેસીબી, ૨૧ ડમ્પર, ૧૦ રોલર, ગ્રેટર ૨ ટ્રેક્ટરો તેમજ અને લોડરની મદદથી થી ૧૧૭ વધુ શ્રમયોગીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.