New Update
ભરૂચના ભોલાવમાં કરાયુ આયોજન
ગણેશ મહોત્સવમાં યોજાય રક્તદાન શિબિર
રક્તદાતાઓએ કર્યું રક્તદાન
પી.એમ.મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન
ભરૂચના ભોલાવ ગામ ખાતે ભોલાવ યંગસ્ટર ગ્રુપ દ્વારા ભોલાવના રાજાધિરાજ ગણપતિ પંડાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મો જન્મદિવસ ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે ગામ તથા આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, સ્થાનિક આગેવાનો તથા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories