ભરૂચ: પ્લેનક્રેશની ઘટનામાં DNA મેચ થતા 3 પેસેન્જરોના મૃતદેહ વતન લવાયા, અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા

New Update
  • અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટના

  • ભરૂચના 3 મૃતકોના મૃતદેહ વતન લવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે મૃતદેહ વતનમાં લાવવામાં આવ્યા

  • પરિવારજનોનું હૈયાફાટ રુદન

  • અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

અમદાવાદની પ્લેનક્રેશની  ઘટનામાં જીવ ગુમાવનાર ભરૂચના 3 પેસેન્જરોના ડી.એન.એ.મેચ થયા બાદ મૃતદેહ વતન લાવવામાં આવ્યા હતા. જ્યાં અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં મૃત્યુ પામનાર જંબુસરના સારોદ ગામના યુવાન સોહેલ પટેલ, ભરૂચની અલમીના સોસાયટીમાં રહેતા મહિલા સાજેદા મીસ્ટર અને મુમતાઝ પાર્કમાં રહેતા અલતાફ પટેલનો મૃતદેહ પોલીસ પેટ્રોલિંગ સાથે એમ્બ્યુલન્સમાં વતનમાં લાવવામાં આવ્યો હતો.
મૃતદેહ તેઓના ઘરે પહોંચતા જ પરિવારજનો અને સબંધીઓનું હૈયાફાટન જોવા મળ્યું હતું ત્યારબાદ બંનેની અંતિમયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.અંતિમયાત્રામાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ અને સામાજિક આગેવાનો પણ જોડાયા હતા.કબ્રસ્તાનમાં બન્ને મૃતકોને સુપુર્ડે ખાક કરવામાં આવ્યા હતા. પ્લેનક્રેશની ઘટના બાદ મૃતદેહ પરિવારજનો સુધી પહોંચાડવામાં મદદ કરનાર તમામ લોકો અને સરકારી તંત્રનો સ્થાનિકોએ આભાર વ્યક્ત કર્યો હતો.
Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.