ભરૂચ: વાલિયાના 18 ગામોમાં GMDCના લિગ્નાઇટ પ્રોજેકટ સામે ઉકળતો ચરૂ, પર્યાવરણ લોક સુનાવણીમાં ભારે વિરોધ નોંધાવાયો

ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેવો પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો

New Update
  • ભરૂચના વાલિયા તાલુકામાં નિર્માણ પામશે લિગ્નાઇટ પ્રોજકેટ

  • પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાય

  • 18 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો

  • ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો જોડાયા

  • પ્રોજેકટ વિનાશકારી હોવાના આક્ષેપ

ભરૂચના વાલીયા તાલુકાના 18 ગામોમાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલકેટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના 18 ગામોમાં  જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.
આ લોક સુનાવણીમાં  ચોરઆમલા,ઈટકલા,રાજગઢ,સિંગલા,સોડગામ,ઉમરગામ,વાંદરિયા,વિઠ્ઠલગામ,ભરાડીયા, કેસરગામ,કોસમાડી, લુણા,સીનાડા, તુના,જબૂગામ,ભામાડીયા,ડહેલી,પીઠોર સહિતના 18 ગામના લોકોએ ભાગ લીધો હતો.આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેઓ પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તમામ ગ્રામસભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાય છે જેનો તમામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો આરપારની લડાઇની  તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ તરફ આદિવાસી આગેવાન અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા તેમજ આગેવાન અનિલ ભગતે પણ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણીય હક- અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
Read the Next Article

ભરૂચ : માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા યોજાઈ

ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

New Update
  • કર્મચારીઓની કો-ઓપ.ક્રેડીટ સોસા.ની 58મી સામાન્ય સભા

  • ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે યોજાય સામાન્ય સભા

  • અમદાવાદ પ્લેન ક્રેશનાં મૃતકોને પાઠવી શ્રદ્ધાંજલિ

  • બાળકોને શૈક્ષણિક કીટનું પણ કરાયું વિતરણ

  • નિવૃત સભાસદોનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કરાયું સન્માન   

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ઘી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો-ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.

ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડ ખાતે ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી.જેમાં અમદાવાદ ખાતેના પ્લેન દુર્ઘટનાનાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી,આ ઉપરાંત  બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ સામાન્ય સભામાં નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.અને સભામાં સંસ્થાના સભ્યો સાથે વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળ પ્રમુખ પ્રવીણસિંહ રણા,કિરીટસિંહ ધરિયા,અજય રણા,ડિસ્ટ્રિક્ટ બેંકના ડિરેક્ટર રવિન્દ્ર રણા સહિત ગુજરાત રાજ્ય સહકારી સંઘ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.