New Update
-
ભરૂચના વાલિયા તાલુકામાં નિર્માણ પામશે લિગ્નાઇટ પ્રોજકેટ
-
પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાય
-
18 ગામના લોકોએ વિરોધ નોંધાવ્યો
-
ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો જોડાયા
-
પ્રોજેકટ વિનાશકારી હોવાના આક્ષેપ
ભરૂચના વાલીયા તાલુકાના 18 ગામોમાં જીએમડીસીના સૂચિત લીગ્નાઈટ પ્રોજેક્ટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઇ હતી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા સહિત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો
ભરૂચના વાલિયા તાલુકાના સોડગામ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કલકેટર ગૌરાંગ મકવાણા અને જી.પી.સી.બીના પ્રાદેશિક અધિકારી વી.ડી.રાખોલીયાની અધ્યક્ષતામાં ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી અંકલેશ્વર દ્વારા વાલિયા તાલુકાના 18 ગામોમાં જી.એમ.ડી.સી.ના લિગ્નાઇટ પ્રોજેકટ માટે પર્યાવરણીય લોક સુનાવણી યોજાઈ હતી.
આ લોક સુનાવણીમાં ચોરઆમલા,ઈટકલા,રાજગઢ,સિંગલા,સો ડગામ,ઉમરગામ,વાંદરિયા,વિઠ્ઠલગા મ,ભરાડીયા, કેસરગામ,કોસમાડી, લુણા,સીનાડા, તુના,જબૂગામ,ભામાડીયા,ડહેલી,પી ઠોર સહિતના 18 ગામના લોકોએ ભાગ લીધો હતો.આ લોક સુનાવણીમાં ધારાસભ્ય ચૈતર વસાવા,પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા,દિલીપ વસાવા અને અનિલ ભગત તેમજ શરલાબેન વસાવા, બળવંતસિંહ ગોહિલ સહિત અસરગ્રસ્ત ગામોના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અંગે ધારાસભ્ય ચૈત્ર વસાવા સહિતના આગેવાનોએ જીએમડીસીનો લિગ્નાઇટ પ્રોજેક્ટ 18 ગામના લોકો માટે વિનાશકારી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સરકાર પાણીના ભાવે જમીન લઈ લેશે તેઓ પણ ભય વ્યક્ત કરવામાં આવ્યો હતો. અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે તમામ ગ્રામસભાએ નામંજૂરનો ઠરાવ કર્યો હતો તેમ છતાં આ પ્રોજેક્ટની પર્યાવરણીય મંજૂરી માટે લોક સુનાવણી યોજાય છે જેનો તમામે સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો છે. આજે સંવિધાન અને સંવાદની રીતે વિરોધ કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં જો તેઓની માંગ ન સ્વીકારવામાં આવે તો આરપારની લડાઇની તેઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ તરફ આદિવાસી આગેવાન અને છોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવા તેમજ આગેવાન અનિલ ભગતે પણ જીએમડીસીના લિગ્નાઇટ પ્રોજેક્ટનો ઉગ્ર શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો અને બંધારણીય હક- અધિકારોનું ઉલ્લંઘન થતું હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા.
Latest Stories