ભરૂચ: બૌદ્ધ સમુદાય દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ

ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • બૌદ્ધ સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને આપવા માંગ

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવાયું

Advertisment
ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે  કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર, બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી. ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે. તેમાં 4 હિંદુ, 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે. બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે, સમિતિમાં બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે.બૌદ્ધ ધર્મવિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
બૌદ્ધ સમુદાયે દલીલ કરી છે કે, ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે. હિંદુ મંદિરો હિંદુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ 1949 રદ કરી મહાબોધી મહાવિહાર,બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Advertisment
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં હાંસોટના 4 ગામોમાં પોલીસની તપાસ, પંચકેસ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરાય

ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય 

New Update
  • ભરૂચમાં બહાર આવ્યું મનરેગા કૌભાંડ

  • 3 તાલુકાના ગામોમાં કૌભાંડ આચરાયું

  • પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ગામોમાં પંચકેસ સહિતની પ્રક્રિયા શરૂ કરાય

  • 9 પોલીસકર્મીઓનો તપાસ ટીમમાં સમાવે સમાવેશ થાય છે 

Advertisment

 

ભરૂચ જિલ્લામાં બહાર આવેલ મનરેગા કૌભાંડમાં પોલીસની ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના 4 ગામોમાં તપાસ કરી પંચકેસ સહિતની કાર્યવાહી કરી હતી ભરૂચમાં પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે.જેમાં બે એજન્સીએ મળી 11 ગામોમાં મનરેગા હેઠળ થયેલા કામોમાં ગેરરીતિ આચરી રૂપિયા 19.64 લાખ સરકાર પાસે વસૂલ્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાય  હતી.આ બે એજન્સીઓમાં વેરાવળની જલારામ એન્ટરપ્રાઇઝ અને મુરલીધર એજન્સીનો સમાવેશ થાય છે. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડા દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે. જેમાં 3 અધિકારીઓ અને 6 પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે. આ અંગે તપાસ અધિકારી આર.એમ.વસાવાએ જણાવ્યુ હતું કે ટીમ દ્વારા આજરોજ હાંસોટ તાલુકાના સમલી, કંટીયાજાળ, બોલાવ અને સુણેવખુદ ગામમાં તપાસ કરવામાં આવી હતી.પોલીસકર્મીઓ દ્વારા પંચકેસ સહિતની કાર્યવાહી કરવામાં આવી છે.ભરૂચ જિલ્લાના કુલ 56 ગામોમાં 7.30 કરોડનું કૌભાંડ આચરાયુ હોવાની આશંકા પોલીસ ફરિયાદમાં વ્યક્ત કરવામાં આવી છે જેમાં હાંસોટ તાલુકાના સૌથી વધુ ગામોનો સમાવેશ થાય છે.

Advertisment