ભરૂચ: બૌદ્ધ સમુદાય દ્વારા કલેકટરને પાઠવાયું આવેદનપત્ર,બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ

ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.

New Update
  • ભરૂચ કલેકટરને પાઠવાયું આવેદનપત્ર

  • બૌદ્ધ સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવાયું

  • બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને આપવા માંગ

  • મોટી સંખ્યામાં લોકો જોડાયા

  • રાષ્ટ્રપતિને સંબોધીને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે  કલેક્ટરને આવેદનપત્ર આપી મહાબોધિ મહાવિહાર, બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવા માંગ કરી હતી. ભરૂચ સ્વયં સૈનિક દળના નેજા હેઠળ બૌદ્ધ સમુદાયે રાષ્ટ્રપતિને સંબોધીને કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર બોધગયા,મહાબોધિ મહાવિહાર, જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે કરોડો બૌદ્ધ અનુયાયીઓનું શ્રદ્ધાનું કેન્દ્ર છે.
1949ના મહાબોધિ મંદિર અધિનિયમ હેઠળ 9 સભ્યોની સમિતિ દ્વારા તેનું સંચાલન થાય છે. તેમાં 4 હિંદુ, 4 બૌદ્ધ અને ગયા જિલ્લાના કલેક્ટર સામેલ છે. બૌદ્ધ સમુદાયે આક્ષેપ કર્યો છે કે, સમિતિમાં બૌદ્ધોની સંખ્યા ઓછી હોવાથી બૌદ્ધ સંસ્કૃતિ અને પરંપરાઓ વિરુદ્ધ પ્રવૃત્તિઓ વધી રહી છે.બૌદ્ધ ધર્મવિરોધી પ્રવૃત્તિઓ પર કોઈ રોક નથી અને દોષિતો સામે કોઈ કાર્યવાહી થતી નથી.
બૌદ્ધ સમુદાયે દલીલ કરી છે કે, ભારતના તમામ મુખ્ય ધાર્મિક સ્થળો તેમના અનુયાયીઓ સંચાલિત કરે છે. હિંદુ મંદિરો હિંદુઓ, મસ્જિદો મુસ્લિમો, ગુરુદ્વારા શીખો, ચર્ચો ખ્રિસ્તીઓ અને પારસી અગિયારી પારસી સમુદાય સંચાલિત કરે છે ત્યારે મહાબોધિ મંદિર અધિનિયમ 1949 રદ કરી મહાબોધી મહાવિહાર,બોધગયાનું સંચાલન બૌદ્ધ સમુદાયને સોંપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: PM કિસાન સન્માન નિધિનો લાભ મેળવવા ફાર્મર રજીસ્ટ્રીની નોંધણી કરાવવી ફરજિયાત, ખેડૂતોને સત્વરે નોંધણી કરાવવા અનુરોધ

ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે

New Update
Farmer Registry
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના આગામી એટલે કે, ૨૦માં હપ્તાનો લાભમેળવવા માટે ભારત સરકાર દ્રારા ખેડૂત આઇડી (ફાર્મર રજીસ્ટ્રી)ની નોંધણી ફરજિયાત કરવામાં આવી છે. ૨૦મો હપ્તો રિલીઝ થાય ત્યારે નોંધણી કરાવવાની બાકી હશે તેવા ખેડૂતો પીએમ કિસાન યોજનાના લાભથી વંચિત રહેશે. પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાનો આગામી ૨૦મો હપ્તો ટૂંક સમયમાં રીલીઝ થનાર હોઈ સત્વરે નોંધણી કરાવવી આવશ્યક છે. એટલા માટે જ, બાકી રહી ગયેલા ખેડૂતો સત્વરે ફાર્મર રજીસ્ટ્રીમાં નોંધણી કરાવી શકે તે માટે અત્યારે ગ્રામ્ય કક્ષાએ ઝુંબેશ સ્વરુપે નોંધણી કરવામાં આવી રહી છે.
ખેડૂત લાભાર્થીઓએ સત્વરે નોંધણી કરાવવા માટે ગામના તલાટી કમ મંત્રી અથવા ગ્રામસેવકનો સંપર્ક કરવાનો રહેશે. આ ઉપરાંત ખેડૂતો જાતે ઘરેથી મોબાઈલ એપ્લિકેશનના માધ્યમથી પણ નોંધણી કરી શકે છે. કોમન સર્વિસ સેન્ટર (CSC) અથવા ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ ખેડૂત નોંધણી કરાવી શકે છે.
Latest Stories