ભરૂચ : શુકલતીર્થ રોડ પર કાર ચાલકે બે બાઇકને મારી ટક્કર, વીજકર્મીનું મોત,અન્ય એક સારવાર હેઠળ

ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે  એક ઇકો કાર ચાલકે 2 બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.

New Update

શુકલતીર્થ રોડ પર કાર ચાલકે બાઇકને મારી ટક્કર

કાર અને બાઈક વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત 

ગંભીર ઈજાને પગલે વીજ કર્મીનું મોત 

અન્ય એક ઈજાગ્રસ્ત સારવાર હેઠળ 

અકસ્માત બાદ કાર પણ પલટી ગઈ 

પોલીસે શરૂ કરી અકસ્માતની તપાસ 

 ભરૂચ થી શુક્લતીર્થ જવાના માર્ગ પર તળાવ પાસે  એક ઇકો કાર ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેમાં એક બાઈક સવાર વીજ કંપનીના કર્મચારીનું મોત થયું હતું.જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.તો કાર પણ અકસ્માત બાદ  પલટી ખાઈ ગઈ હતી.એક ઇકો કાર શુકલતીર્થ રોડ પરથી પસાર થઈ રહી હતી.ત્યારે માર્ગમાં આવતા તળાવ પાસે એકાએક કાર ચાલકનો સ્ટિયરિંગ પરનો કાબૂ ન રહેતા એક પછી એક બે બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના બનાવમાં વીજ કર્મી મેહુલસિહ રાજનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.જ્યારે  અન્ય બાઈક ચાલકને પણ ગંભીર ઇજા થઇ હતી.અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં સારવાર  માટે લઇ જવામાં આવ્યો હતો. તો અકસ્માત બાદ ઇકો કાર પણ પલટી ખાઇ ગઇ હતી.અકસ્માત સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories