ભરૂચ: ઝઘડિયાના ધારોલી નજીક કાર પલટી જતા અકસ્માત, 1 વ્યક્તિનું મોત-4ને ઇજા

ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.

New Update
  • ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ નજીક અકસ્માત

  • કાર પલટી જતા અકસ્માત સર્જાયો

  • કારમાં સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું

  • 4 લોકોને પહોંચી ઇજા

  • પોલીસે તપાસ શરૂ કરી

ભરૂચના ઝઘડિયાના ધારોલી ગામ તરફ જતા માર્ગ પર કાર પલટી જતા કારમાં સવારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા છે.
ભરૂચની ઝઘડિયા જીઆઇડીસીને જોડતા ધારોલી માર્ગ પર કર્મચારીઓની કારને નડેલા અકસ્માતમાં એક કર્મચારીનું મોત નીપજ્યું જયારે 4 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.ઝઘડિયા જીઆઇડીસીમાં આવેલી રેડ એન્ડ ટેલર કંપનીના કર્મચારીઓ કારમાં કંપની તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાલકે કાર પરથી કાબુ ગુમાવતા પૂરઝડપે જતી કાર પલ્ટી જતા અકસ્માત  થયો હતો. આ ઘટનામાં એક કર્મચારીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.વાહનમાં સવાર અન્ય ચાર કર્મચારી ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે અંકલેશ્વર ખસેડાયા છે.બનાવની જાણ થતાની સાથે જ ઝઘડિયા પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Read the Next Article

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજાય, દેશપ્રેમના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા

New Update

ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

ભાજપ દ્વારા આયોજન કરાયું

તિરંગા યાત્રાનું આયોજન

આગેવાનો અને કાર્યકરો જોડાયા

દેશભક્તિના રંગ જોવા મળ્યા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા માતરીયા તળાવથી સ્ટેચ્યુ પાર્ક સુધી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 

સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત પક્ષના અગ્રણીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. હાથમાં તિરંગો લહેરાવતા કાર્યકરો દેશભક્તિના સૂત્રોચ્ચાર કરતા આગળ વધતા નજરે પડ્યા હતા.ભાજપ દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યોજાયેલી આ યાત્રા દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર દેશપ્રેમનો જુસ્સો છલકાતો જોવા મળ્યો હતો. યાત્રામાં દેશભક્તિ ગીતો, સૂત્રોચ્ચારો અને તિરંગાની લહેરાટ સાથે ઉત્સાહનો માહોલ છવાયો હતો.