ભરૂચ: ન.પા.ના કર્મચારીનું ફરજ દરમ્યાન મોત નિપજવાનો મામલો, યોગ્ય વળતરની માંગ સાથે ક્લેકટરને કરાય રજુઆત

રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષથી ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.

New Update
  • ભરૂચ ન.પા.ના કર્મચારીનું નિપજ્યું હતું મોત

  • વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતો હતો કર્મચારી

  • ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજ્યું હતું

  • પરિવારજનોએ કરી યોગ્ય વળતરની માંગ

  • કલેકટરને કરવામાં આવી રજુઆત

Advertisment
ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષની ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વર્તનની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા.
Advertisment
Read the Next Article

ભરૂચ: નગર સેવા સદન દ્વારા માય થેલી પ્લાસ્ટિકને કહો ના કહોની થીમ પર પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.

New Update

ભરૂચ નગર સેવા સદન દ્વારા યોજાયો કાર્યક્રમ

Advertisment W3.CSS

પર્યાવરણ દિવસની કરાય ઉજવણી

માય થેલીની થીમ પર કાર્યક્રમની ઉજવણી

પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવા અપાયું પ્રોત્સાહન

બહેનોએ કાર્યક્રમમાં લીધો ભાગ 

ભરૂચ માય થેલી અભિયાન અંતર્ગત નગરપાલિકા દ્વારા પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટની બહેનો જોડાય હતી.
ભરૂચ નગરપાલિકા, NULM તથા જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ-ભરૂચના સંયુક્ત ઉપક્રમે ભરૂચ નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી."માય થેલી – પ્લાસ્ટિક બેગને ના કહો" થીમ સાથે આયોજિત આ કાર્યક્રમ અંતર્ગત સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા નાગરિકો પાસેથી એકત્ર થયેલા જૂના કે ન વપરાતા કપડાંમાંથી પર્યાવરણને અનુકૂળ, ટકાઉ અને પુનઃવાપરી શકાય તેવી કાપડની થેલીઓ તૈયાર કરવામાં આવી રહી છે.આ પહેલના માધ્યમથી પ્લાસ્ટિકના બદલે કાપડની થેલીઓ વાપરવાની સંસ્કૃતિ ઉભી કરવા સાથે સાથે પર્યાવરણીય જાગૃતિ અને કૌશલ્ય વિકાસનો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે જન હિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના નિમિષા ગોસ્વામી, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ તથા મહિલા મંડળની અગ્રણીઓ ઉપસ્થિત રહી આ અનોખી પહેલને વધાવી હતી.