New Update
-
ભરૂચ ન.પા.ના કર્મચારીનું નિપજ્યું હતું મોત
-
વોટર વર્ક્સ વિભાગમાં ફરજ બજાવતો હતો કર્મચારી
-
ચાલુ ફરજ દરમ્યાન મોત નિપજ્યું હતું
-
પરિવારજનોએ કરી યોગ્ય વળતરની માંગ
-
કલેકટરને કરવામાં આવી રજુઆત
ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં ફરજ બજાતા કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મોત નિપજતા તેમના પરિવારજનોને યોગ્ય વળતરની માંગ સાથે આગેવાનો દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી
ભરૂચ નગર સેવાસદનના વોટરવર્ક્સ વિભાગમાં રોજમદાર કામદાર તરીકે છેલ્લા 27 વર્ષની ફરજ બજાવતા શંભુ જયસીંગભાઇ વસાવાનું તારીખ 21-1- 2025ના રોજ સોનેરી મહલ ટાંકી પર ફરજ દરમિયાન રાત્રિના સમયે મોત નિપજ્યું હતું.
આ અંગે તેઓના પરિવારજનો તેમજ આદિવાસી સમાજના આગેવાનો દ્વારા નગરપાલિકામાં યોગ્ય વર્તનની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજદિન સુધી વળતર ન ચૂકવાયું હોવાના આક્ષેપ સાથે આજરોજ કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી અને મૃતકના પરિવારજનોને યોગ્ય વળતર તેમજ તેમના પુત્રને નોકરીની માંગ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત આદિવાસી સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા.