ભરૂચ: જંબુસરના વેડચ ગામે મકાનમાં લાગેલી આગમાં રોકડા રૂ.1.25 લાખ સ્વાહા, દાગીના પણ બળી ગયા !

ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે બે મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.

New Update
  • ભરૂચના જંબુસરનો બનાવ

  • વેડચ ગામે 2 મકાનમાં આગ

  • આગના પગલે અફરાતફરી

  • રોકડા રૂ. 1.25 લાખ બળીને ખાક

  • ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ

ભરૂચના જંબુસરના વેડચ ગામે 2 મકાનોમાં આગ લાગતા રોકડા રૂ.1.25 લાખ અને દાગીના આગમાં બળીને ખાક થઈ ગયા હતા
ભરૂચમાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે આગ લાગવાના બનાવોમાં વધારો થયો છે ત્યારે જંબુસર તાલુકાના વેડચ ગામે બે મકાનોમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું બનાવની જાણ થતાની સાથે જ નજીકમાં આવેલી પી.જી.પી. ગ્લાસ કંપની તેમજ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આ બનાવવામાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ આગમાં ઘરમાં રહેલ રોકડા રૂપિયા 1.25 લાખ બળીને ખાક થઈ ગયા હતા તો સાથે જ સોના ચાંદીના દાગીના પણ આગમાં બળી ગયા હતા જેના કારણે મકાન માલિકને ભારે નુકસાન પહોંચ્યું હતું.
Read the Next Article

ભરૂચ: સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું આયોજન કરાયું, મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • સંત નિરંકારી મિશન દ્વારા આયોજન

  • ઝોનલ બાળ સમાગમ યોજાયું

  • બાળકોએ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી

  • મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉમટ્યા

ભરૂચમાં સંત નિરંકારી મિશન દ્વારા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ખાતે ઝોનલ બાળ સમાગમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના વિવિધ જિલ્લામાંથી અનુયાયીઓ ઉમટ્યા હતા
ભરૂચ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે સંત નિરંકારી મિશન દ્વારા ઝોનલ બાળ સમાગમનું  આયોજન કરવામાં આવ્યું હતું. આ સમાગમમાં ભરૂચ ઉપરાંત અંકલેશ્વર, બીલ, રાજપીપળા અને વલ્લભ વિદ્યાનગરમાંથી મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. આ પ્રસંગે મુંબઈથી પધારેલા સંત પ્રવીણ છાબડાજીના હસ્તે બાલ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદર્શનમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલા શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સંદેશ આપતા મોડેલ્સ અને ચિત્રકળા પ્રદર્શિત કરવામાં આવી હતી.બાળ સમાગમ અંતર્ગત બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.આ સમાગમને સફળ બનાવવા માટે ભરૂચ ઝોનના સેવાદળના સ્વયંસેવકો અને નિરંકારી મિશનના અધિકારીઓએ અવિરત મહેનત કરી હતી.