ભરૂચ:કિન્નર સમાજના અખાડામાં નવરાત્રીના પર્વની ઉત્સાહભેર ઉજવણી

ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા  નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.

New Update

ભરૂચમાં નવરાત્રીના પર્વની ઠેર ઠેર ઉજવણી

કિન્નર સમાજ દ્વારા પણ ગરબા મહોત્સવનું આયોજન

અખાડામાં શેરી ગરબા મહોત્સવ યોજાયો

કિન્નર સમાજના સભ્યો સ્વકંઠે ગાય છે ગરબા

મન મુકીને ગરબા રમવામાં આવે છે

ભરૂચના વેજલપુર વિસ્તારના વાણીયાવાડમાં નજીક આવેલા કિન્નર સમાજના અખાડામા  નવરાત્રીની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
જગતની માં જગદંબા ની આરાધનાના પર્વ નવરાત્રીની હાલ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચના કિન્નર સમાજ દ્વારા પણ માતાજીના પર્વની ઉજવણી કરાઈ રહી છે. નવરાત્રીના પર્વ નિમિત્તે શેરી,મહોલ્લા, સોસાયટી તેમજ પાર્ટી પ્લોટમાં DJ અથવા ગરબા વૃંદના તાલે ખેલૈયાઓ માતાજીના ગરબે ઘૂમી રહ્યા છે પરંતુ ભરૂચના વેજલપુરના વાણીયાવાડ વિસ્તારમાં આવેલા કિન્નર સમાજના અખાડે વર્ષોથી માતાજીનું સ્થાપન કરી શેરી ગરબા મહોત્સવનું આયોજન કિન્નર સમાજ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીં ગરબા DJ અથવા ગાયક વૃંદ દ્વારા નહિ પરંતુ સ્વયંમ કિન્નર સમાજના કોકિલાકુંવર નાયક પોતાના સ્વરે ગરબા ગાઈ લોકોને ગરબે ઝુમાવી રહ્યા છે જેમાં વેજલપુર તથા આસપાસના લોકો મોટી સંખ્યામાં જોડાઈ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા છે
Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.