ભરૂચ : રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાનના પરિવારને ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન

New Update

ઝઘડિયાના ઉમલ્લા નજીક TRB જવાનના મોતનો મામલો

ડેડીયાપાડાના MLAએ મૃતક TRB જવાનને શ્રદ્ધાંજલી આપી

મૃતક જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી

ગેરકાયદેસર રેતી વહન કરતાં વાહનો સામે કરી લાલ આંખ

આગામી દિવસોમાં ચક્કાજામ કરવામાં આવશે : ચૈતર વસાવા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન સુમિત વસાવાનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે મૃતક TRB જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

 

 

Read the Next Article

ભરૂચ: રથયાત્રાના પર્વને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરાયુ

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું

New Update

ભરૂચમાં નિકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા

અષાઢી બીજના રોજ રથયાત્રાનું આયોજન

પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવાશે

એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાય

ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ જોડાયા

ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે રથયાત્રાના ઉત્સવ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્રએ કમરકસી છે. જેના ભાગરૂપે ભરૂચ શહેર એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફ્લેગમાર્ચ શહેરના ફુરજા વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળી રવિવારી બજાર, સોની ફળિયુ, લાલ બજાર, લલ્લુભાઈ ચકલાથી હાથીખાના બજાર થઈ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ જોડાયા હતા. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ હાજરી આપી શહેરીજનોને સુરક્ષા અને શાંતિનો અનુભવ કરાવ્યો હતો.