ભરૂચ : રાજપારડી ખાતે અકસ્માતમાં મૃત્યુ પામેલ TRB જવાનના પરિવારને ચૈતર વસાવાએ સાંત્વના પાઠવી...

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતા TRB જવાન

New Update

ઝઘડિયાના ઉમલ્લા નજીક TRB જવાનના મોતનો મામલો

ડેડીયાપાડાના MLAએ મૃતક TRB જવાનને શ્રદ્ધાંજલી આપી

મૃતક જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી

ગેરકાયદેસર રેતી વહન કરતાં વાહનો સામે કરી લાલ આંખ

આગામી દિવસોમાં ચક્કાજામ કરવામાં આવશે : ચૈતર વસાવા

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા અને ખાખરીપરા વચ્ચે થોડા દિવસો પહેલા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઉમલ્લા પોલીસ મથકે ફરજ બજાવતાTRB જવાન સુમિત વસાવાનું ગંભીર ઇજાના પગલે ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુંત્યારે નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા તેઓની ટીમ સાથે રાજપારડી ખાતે મૃતકTRB જવાનના પરિજનોની મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી.

Read the Next Article

અંકલેશ્વર: ONGCમાં નોકરીના બહાને રૂ.1.84 કરોડની છેતરપીંડીમાં ફરિયાદી જ આરોપી નિકળ્યો, પોલીસે કરી ધરપકડ

આરોપીએ વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચ આપી અનેક લોકોને ફસાવ્યા હતા...

New Update
ONGC Fraud
અંકલેશ્વર ONGC માં અલગ અલગ સ્થળે 90 લોકોને નોકરીની લાલચ આપી 1.84 કરોડની ઠગાઈમાં વોન્ટેડ આરોપી ઝડપાતા ફરિયાદી પણ આરોપી હોવાનો થયો ધડાકો અંકલેશ્વરની ONGC કંપનીમાં સિક્યોરિટીમાં રાજ્યમાં અલગ અલગ સ્થળે નોકરીની લાલચે 90થી વધુ લોકો સાથે આચરાયેલા રૂપિયા 1.84 કરોડના કૌભાંડમાં ફરિયાદી પણ આરોપી નીકળ્યો છે. 
અંકલેશ્વરની અમૃતકુંજ સોસાયટીમાં રહેતા ફરિયાદી એવા આરોપી ઘનશ્યામસીધ રાજપુતની અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી લીધી છે. વર્ષ 2022 થી 2024 માં વિરાટ નગર રહેતા ઓગસ્ત હરદેવ પાંડે એ પોતે નેશનલ ઇન્વેસ્ટીગેશન સિક્યુરીટી સર્વીિસ NISS કંપનીના મેનેજર તરીકેની ખોટી ઓળખ આપી હતી. વ્યક્તી દીઠ બે થી અઢી લાખ રૂપિયા લઇ ONGC કંપનીમાં હજીરા, મહેસાણા તથા ખંભાત ખાતે નોકરીએ લગાડવાની લાલચમાં લોકોને ફસાવ્યા હતા.
NISS કંપનીના બોગસ જોઇનીંગ લેટર અને આઇ કાર્ડ બનાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વિશ્વાસમાં લઇ હાલના આરોપી એવા ફરિયાદીના પરિવારના 10 લોકો સહિત કુલ 50 જેટલા લોકો પાસેથી રૂપિયા 1.04 કરોડ પડાવ્યા હતા.સાથે જ ઠાકોરભાઇ આહીર અને તેની સાથેના 40 અન્ય લોકો પાસેથી દરેકના બે લાખ લેખે આશરે ₹80 લઇ નોકરીએ નહિ લગાવી નાસી છૂટ્યો હતો. જે આરોપી અગસ્ત પાંડે પકડાતા તેને પોલીસ સમક્ષ આ કૌભાંડમાં ફરિયાદી એવો ઘનશ્યામ સિંઘ પણ સામેલ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. એ ડિવિઝન પોલીસે ફરિયાદીની આરોપી તરીકે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.