ભરૂચ: નેત્રંગ મામલતદાર કચેરી ખાતે સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયુ

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાકક્ષાએ સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું. જે અંર્તગત આજરોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું.

New Update
સિવિલ ડિફેન્સ

ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકાકક્ષાએ સિવિલ ડિફેન્સની તાલીમનું આયોજન કરાયું હતું.

જે અંર્તગત આજરોજ નેત્રંગ તાલુકા વહીવટીતંત્રની આગેવાનીમાં સિવિલ ડિફેન્સ તાલીમનું આયોજન કરાયું હતું. ગત જૂન માસમાં તારીખ ૨ થી ૬ જૂન સુધી શ્રીમતિ એમ. એમ. ભક્ત હાઈસ્કૂલ ખાતે તાલીમાર્થીઓને તાલીમ આપી તેમની પરીક્ષા લેવામાં આવી હતી, તેવા તમામ તાલીમાર્થીઓને આજથી ફરી મામલતદાર કચેરી ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર, સિવિલ ડિફેન્સ અંકલેશ્વર  જયદેવસિંહ વાઘેલા તાલીમ આપી રહ્યા છે.આ તાલીમમાં કુદરતી કે માનવસર્જિત આપત્તિ દરમિયાન – જેમ કે આગ, ભૂકંપ, પૂર, યુધ્ધ જેવી પરિસ્થિતિઓમાં પોતાની જાતને કેવી રીતે બચાવવી, અન્ય લોકોને કેવી રીતે બચાવવા, સલામત સ્થળનો ઉપયોગ કરવો વગેરે બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. 

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Latest Stories