ભરૂચ: મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી !

ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા

New Update

સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી

ભરૂચમાં ઉજવણી કરવામાં આવી

મામલતદાર કચેરીમાં કરાય સાફ સફાઈ

અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા

પરિસરમાં કરવામાં આવી સાફ સફાઈ

ભરૂચ મામલતદાર કચેરીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓ જોડાયા હતા
રાજ્ય સરકાર દ્વારા તારીખ બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભરૂચ મામલતદાર કચેરી ખાતે સાફ-સફાઈ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ અને મામલતદાર કચેરીના કર્મચારીઓ દ્વારા  પરિસરમાં સાફ-સફાઈ કરાઈ હતી. તો સાથે જ દરેક વિભાગોમાં પણ સાફ-સફાઈ કરી રેકોર્ડને સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા અને બિનજરૂરી ચીજ વસ્તુઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં મામલતદાર માધવી મિસ્ત્રી સહિતના અધિકારીઓ પણ જોડાયા હતા
Read the Next Article

ભરૂચ: આમોદ ન.પા.માં ભાજપના જ આગેવાન અને કોન્ટ્રાકટરે આત્મવિલોપની ચીમકી ઉચ્ચારી, બાકી પેમેન્ટ માટે ટકાવારી માંગતી હોવાના આક્ષેપ

ભરૂચને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે

New Update
  • ભરૂચની આમોદ નગરપાલિકાનો વિવાદ

  • કોન્ટ્રાકટરે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી

  • બાકી પેમેન્ટ ન ચૂકવાતા આક્ષેપ

  • શાસકો ટકાવારી માંગતા હોવાના આક્ષેપ

  • પ્રમુખે તમામ આક્ષેપ ફગાવ્યા

ભરૂચ ને આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર એવા ભાજપના જ આગેવાને બાકી પેમેન્ટ બાબતે 15મી ઓગસ્ટના રોજ આત્મવિલોપન કરી લેવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે સાથે જ નગરપાલિકાના પ્રમુખથી મારી અધિકારીઓ બાકી પેમેન્ટની ચુકવણી માટે ટકાવારી માંગતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટર અને ભાજપના જ  રૂ.14.20 લાખનું પેમેન્ટ બાકી હોવા છતાં ચુકવણી ન થતા ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો વચ્ચે કોન્ટ્રાક્ટરે 15મી ઓગષ્ટના રોજ નગરપાલિકા પરિસરમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ભાજપના આગેવાન મૈલેશ મોદી લાંબા સમયથી નગરપાલિકામાં  કોન્ટ્રાકટર તરીકે કામ કરે છે.ભાજપના ન આગેવાન અને કોન્ટ્રાક્ટર મૈલેશ મોદીએ જણાવ્યું હતું 31-10-2023 થી 31-10-2024 દરમિયાન કરેલા સ્વભંડોળના વિકાસ કામોના રૂ.13.10 લાખમાંથી રૂ.12.60 લાખ હજુ બાકી છે, સાથે બીજા સ્વભંડોળના કામની રકમ મેળવી કુલ રૂ.14.20 લાખનું પેમેન્ટ આઠ મહિનાથી અટક્યું છે.
તેઓએ આક્ષેપ કર્યો છે કે બાકી પેમેન્ટ માટે નગરપાલિકાના પ્રમુખ, પદાધિકારીઓ અને અધિકારીઓ ટકાવારી માગે છે.તેમના મુજબ ચીફ ઓફિસર 3%, નગરપાલિકા બોડી 7%, હિસાબી શાખા 3% અને એન્જિનિયર 1% કમિશન લે છે. આ રેશિયો તમામ કોન્ટ્રાક્ટરો માટે નક્કી છે અને નફાકારક કામોમાં સીધો હિસ્સો પણ માંગવામાં આવે છે. 
કોન્ટ્રાકટરે કરેલા આક્ષેપ અંગે આમોદ નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે પેમેન્ટ સ્વભંડોળના અભાવે અટક્યું છે કારણ કે નગરપાલિકાની આવક અને વેરા વસૂલાત ઓછી હોવાથી પગાર અને પી.એફ. ચુકવવામાં મુશ્કેલી પડે છે. સ્વભંડોળ પ્રાપ્ત થયા બાદ કોન્ટ્રાક્ટરને ચુકવણી કરી દેવાશે.