ભરૂચ: ગેરકાયદેસર માટી ખનનના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખાણ-ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો કરાયો પ્રયાસ

ગેરકાયદેસર રેતી ખનન મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા

New Update
  • ભરૂચ જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન

  • ગેર કાયદેસર માટી ખનનનો વિરોધ

  • ખાણ-ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ

  • પોલીસ સાથે સર્જાયા ઘર્ષણના દ્રશ્યો

  • પોલીસે કેટલાક આગેવાનોની કરી અટકાયત

Advertisment W3.CSS

ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલામાં કોંગ્રેસ દ્વારા આજરોજ વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનોએ ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરતા પોલીસ અને આગેવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનો  મુદ્દો હવે રાજકીય રંગ પકડી રહ્યો છે. અગાઉ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આ બાબતે અધિકારીઓનો ઉધડો લીધા બાદ આજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું.કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ભાજપ સરકાર વિરુદ્ધ ભારે સૂત્રોચાર કર્યા હતા.
સાથે જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ખાણ અને ખનીજ વિભાગની કચેરીને તાળાબંધીનો પ્રયાસ કરાયો હતો.આ દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે પોલીસનું ઘર્ષણ પણ થયું હતું દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.આ સાથે જ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખન્ન, તથા ભુમાફીયાઓ દ્વારા આદિવાસી લોકોને તથા સમાજના અન્ય પછાત વર્ગના લોકોને રાજકીય વગ વાપરી ગેરકાયદેસર માટી ખોદાણ તથા આદિવાસી લોકોની જમીન ગેર કાયદેસર રીતે  ૭૩ એએની પરમીશન આપી આદિવાસીઓને જમીન વિહોણા કરી દેવામાં આવે છે.આ સમગ્ર પ્રક્રિયામાં ભુમાફીયા સાથે વહીવટી તંત્ર તેટલું જ જવાબદાર છે. અને તેમની સામે પણ કડકમાં કડક ભરવામાં આવે એવી માંગ કરાય છે
આ બાબતે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓની મિલીભગતથી સમગ્ર જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનનનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આવા તત્વોને ખુલ્લા પાડી તેઓ વિરુદ્ધ કડક પગલાં ભરાવા જોઈએ.
Read the Next Article

હિન્ડાલ્કોના ઇ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ દ્વારા પર્યાવરણ દિવસની કરાઈ ઉજવણી

હિન્ડાલ્કો દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ, નિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા

New Update
hindalco

ભારતનો પ્રથમ ઈ-વેસ્ટ અને સેકન્ડરી કોપર રિસાયક્લિંગ પ્રોજેક્ટ ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત પખાજણ ખાતે શરૂ થયો છે. હિન્ડાલ્કો દ્વારા "પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત" થીમ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી.

Advertisment W3.CSS

આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનિવારણ અને પ્રદૂષણ નિયંત્રણ અંગે શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા. કંપનીના પ્રમુખ અને યુનિટ હેડ કૌશિક વકીલે સભાને સંબોધિત કરી હતી અને પ્લાસ્ટિક કેરી બેગને બદલે શણની થેલીનો ઉપયોગ અને તેને રોજિંદા જીવનમાં અપનાવવા વિશે જણાવ્યું હતું. તેમણે રિસાયક્લિંગ પ્રોજેક્ટની વિશિષ્ટતા અને ગ્રીન પહેલ વિશે પણ માહિતી આપી હતી.

જેમ કે વિશ્વ કક્ષાની પ્રક્રિયા ટેકનોલોજી,પર્યાવરણ વડા ડો. સંજયકુમાર સીંગે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ દ્વારા અપનાવવામાં આવેલી ગ્રીન પહેલ વિશે મેનેજિંગ ડિરેક્ટર સતીશ પાઈનો સંદેશ આપ્યો હતો. રિસાયક્લિંગ પ્રોજેક્ટે પખાજણ ગામમાં પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજ્યો હતો અને પખાજણ ગામના તમામ રહેવાસીઓને શણની થેલીઓ અને રોપાઓનું વિતરણ કર્યું હતું.