ભરૂચ : કોંગ્રેસનું "સંગઠન સૃજન અભિયાન", AICCના નિરીક્ષક સંજય દત્તે પત્રકાર પરિષદને કર્યું સંબોધન

ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે“સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે AICCના નિરીક્ષક સંજય દત્ત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા

New Update
  • કોંગ્રેસનું સંગઠન સૃજન અભિયાન

  • અભિયાન અંતર્ગત યોજાઈ પત્રકાર પરિષદ

  • AICC નિરીક્ષકે આપ્યું માર્ગદર્શન

  • કોંગ્રેસ દ્વારા સંગઠનને મજબૂત કરવા માટેના પ્રયાસો

  • કોંગ્રેસ લોકોના પ્રશ્નોને આપશે વાચા

Advertisment

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.આ પ્રસંગે AICCના નિરીક્ષક સંજય દત્ત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર સ્થિત સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે કોંગ્રેસ દ્વારા પત્રકારોને સંગઠન સૃજન અભિયાન સંદર્ભે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના નિરીક્ષક સંજય દત્ત દ્વારા સંગઠન સૃજન અભિયાન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

કોંગ્રેસ આગેવાનો દ્વારા સંગઠનના પુનઃ નિર્માણ માટેની વ્યૂહરચના અને કાર્યપદ્ધતિ અંગે માહિતી આપવામાં આવી હતી. તેઓએ જણાવ્યું હતું કે, “કોંગ્રેસ માત્ર ચૂંટણી જીતવા માટેની પાર્ટી નથીપણ લોકશાહીના સિદ્ધાંતો માટે સતત સંઘર્ષશીલ સંસ્થા છે.આ અભિયાન હેઠળ કોંગ્રેસ જિલ્લાના છેવાડાના માનવી સુધી પહોંચીલોકોના પ્રશ્નો માટે લડશે અને તેમની વાચા બનશે.

સાથે સાથે કાર્યકરોને પડતી મુશ્કેલીઓનું સમાધાન લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશેજેથી સંગઠન વધુ મજબૂત બનીને નવી દિશામાં આગળ વધી શકે. આ પ્રસંગે GPSCના પી.ડી. વસાવાગ્યાસુદ્દીન શેખનિલેશ પટેલ અને પ્રભાતસિંહ સોલંકી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાશહેર પ્રમુખ હરેશ પરમારપ્રવક્તા નાઝુ ફડવાળા તેમજ અનેક સ્થાનિક આગેવાનોહોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment
Latest Stories