ભરૂચ: NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી રૂ 63.94 લાખની ઠગાઈ કરનાર દંપતીની ધરપકડ

NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

New Update

ભરૂચ સી ડિવિઝન પોલીસને મળી સફળતા

સ્ટોક એક્સચેન્જના બ્રોકરની આપવામાં આવી હતી ઓળખ

ખોટી ઓળખ આપી લાખો રૂપિયાની થઈ હતી ઠગાઈ

ઠગ દંપતીની પોલીસે કરી ધરપકડ

નડિયાદથી ધરપકડ કરવામાં આવી

NSEના બ્રોકર તરીકે ખોટી ઓળખ આપી બોગસ દસ્તાવેજો બનાવી ₹63.94 લાખની છેતરપીંડી કરનાર વોન્ટેડ દંપતીને નડીયાદ ખાતેથી ભરૂચ સી ડીવીઝન પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ  સ્ટેશનમાં શેરબજારમાં રોકાણના નામે રોકાણકારો સાથે રૂપિયા 63.94 લાખની છેતરપિંડીનો ગુનો 24 ઓગસ્ટના રોજ દાખલ થયો હતો.ભરૂચના આર કે કાઉન્ટીમાં રહેતા બેકાર એવા ઠગ બ્રજેશકુમાર શ્રીવાસ્તવ, તેની પત્ની નિશા શ્રીવાસ્તવ અને અંશલાલા શ્રીવાસ્તવએ પૂર્વ આયોજીત કાવતરું રચી N.S.E.ના નામે ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. NSE ના અધિકારીની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરી પોતાની નેશનલ સ્ટોક એક્ષચેન્જના બ્રોકર તરીકેની ખોટી ઓળખ આપી હતી.આ ખોટા દસ્તાવેજો મિત્ર એવા ફરીયાદીને રૂબરૂ, ઈમેલ તથા વોટસએપ દ્વારા મોકલી છેતરપીડી કરવાના ઈરાદે મિત્રતાના નામે ફરીયાદી તથા ફરીયદીના ઓળખીતા મિત્રો પાસેથી ₹63.94 લાખ પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા.શ્રીવાસ્તવ દંપત્તિ ફરીયાદી તથા તેના મિત્રો સાથે છેતરપીડી કરી ગુનો આચરી ફરાર થઇ ગયું હતું.ભરૂચ સી ડિવિઝન PI વી.આર.ભરવાડએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે તપાસ કરતા ભેજાબાજ દંપતીને નડીયાદ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
Read the Next Article

અમદાવાદ દુર્ઘટનામાં ભરૂચના 3 મુસાફરો પ્લેનમાં સવાર હતા, કલેકટર ગૌરાંગ મકવાણાએ કરી પુષ્ટી

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે

New Update
  • અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના

  • લંડન જઈ રહ્યું હતું વિમાન

  • ભરૂચના 3 મુસાફરો પણ હતા સવાર

  • વહીવટી તંત્રએ કરી પુષ્ટી

  • જંબુસર- ભરૂચના 3 લોકોનો સમાવેશ

અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ મુસાફરો પણ પ્લેનમાં સવાર હોવાની માહિતી બહાર આવી રહી છે.વહીવટી તંત્ર દ્વારા આ મુસાફરોના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે
અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.અમદાવાદથી બપોરે 1. 38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો હતા.ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજે આ દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં જિલ્લાના 5 લોકો હોવાની પુષ્ટિ આપી હતી. આ તરફ ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાએ ટેલિફોનિક વાતચીતમાં ભરૂચના 3 મુસાફરો હોવાની અને બે મુસાફરો સાંસરોદના હોવાની પુષ્ટિ કરી છે. ભરૂચનું તંત્ર આ મુસાફરોના પરિવારોનો સંપર્ક કરી રહ્યું છે.
ભરૂચ જિલ્લાના 5 મુસાફરોના બહાર આવેલા નામોમાં જંબુસરના પટેલ સાહિલ , ભરૂચના પટેલ અલ્તાફ હુસેન, સાંસરોદના તાજુ હુસેના , તાજુ આદમ અને ભરૂચના સાજેદા મીસ્તર કાવીવાલાનો સમાવેશ થાય છે.પ્લેનમાં સવાર પૈકી પટેલ અલ્તાફહુસેન તેમના સાસુ તાજુ હુસેના અને સસરા તાજુ આદમ સાથે લંડન જઈ રહ્યા હતા. યુકે સ્થાયી થયેલ પરિવારના ત્રણ લોકો ઈદ મનાવી પરત જઈ રહ્યા હતા તે દરમ્યાન આ દુર્ઘટના સર્જાય હતી.