ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધના યોજાયો,પૂર્વ CM વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નારાયણ વિદ્યાવિહારમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

  • રાષ્ટ્ર આરાધના થીમ પર કરાયું કાર્યક્રમનું આયોજન

  • પૂર્વCM વિજય રૂપાણી રહ્યા વિશેષ ઉપસ્થિત

  • શાળાના બાળકોએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કૃતિઓ કરી રજુ

  • ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને બિરદાવ્યો 

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમ નિમિત્તે અતિથિ વિશેષ તરીકેGPSCના પૂર્વ ચેરમેન હસમુખ જોષી,અભિનેતા અને સહ લેખક તેમજ ગીતકાર ચેતન ધાનાણી,નારાયણ બાપુ આશ્રમ,તાજપુરના રાજેશ રાજગોર તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્ર આરાધના સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો.

Read the Next Article

ભરૂચ: સોમવારે CM ભુપેન્દ્ર પટેલ કંબોઈ ખાતે સ્તંભેશ્વર મહાદેવના કરશે દર્શન, અંકલેશ્વરમાં વિકાસના કાર્યોનું લોકર્પણ ખાતમુહૂર્ત કરશે

આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે.

New Update
Stambheshwar Mahadev
આગામી સોમવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી ભરૂચ જિલ્લાના જંબુસરની મુલાકાત તથા અંકલેશ્વર ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત - લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ લાયઝન અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટર  ગૌરાંગ મકવાણાએ મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું  હતું.
આ કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીશ્રીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, સભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.