ભરૂચ : નારાયણ વિદ્યાવિહાર દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધના યોજાયો,પૂર્વ CM વિજય રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

New Update
  • નારાયણ વિદ્યાવિહારમાં યોજાયો સાંસ્કૃતિક કાર્યક્રમ

  • રાષ્ટ્ર આરાધના થીમ પર કરાયું કાર્યક્રમનું આયોજન

  • પૂર્વ CM વિજય રૂપાણી રહ્યા વિશેષ ઉપસ્થિત

  • શાળાના બાળકોએ રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી કૃતિઓ કરી રજુ

  • ઉપસ્થિત મહાનુભાવોએ કાર્યક્રમને બિરદાવ્યો 

Advertisment

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચના નારાયણ વિદ્યાવિહાર ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ રાષ્ટ્ર આરાધનાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકો દ્વારા રાષ્ટ્રપ્રેમને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજુ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમ નિમિત્તે અતિથિ વિશેષ તરીકે GPSCના પૂર્વ ચેરમેન હસમુખ જોષી,અભિનેતા અને સહ લેખક તેમજ ગીતકાર ચેતન ધાનાણી,નારાયણ બાપુ આશ્રમ,તાજપુરના રાજેશ રાજગોર તેમજ શાળા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.રાષ્ટ્ર આરાધના સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવ્યો હતો.

 

Advertisment
Read the Next Article

અંકલેશ્વર : સ્માર્ટ મીટર લગાવ્યા બાદ DGVCL’એ રૂ. 6.29 લાખ બિલ પકડાવતા વીજ ગ્રાહકમાં આક્રોશ..!

DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા....

New Update
  • ગુજરાતમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી

  • સ્માર્ટ મીટર સામે વિરોધના વંટોળ વચ્ચે વધુ એક ઘટના

  • રૂ. 6.29 લાખ વીજબિલ આવતા જ વીજ ગ્રાહકના હોશ ઉડ્યા

  • DGVCL કચેરીએ રજૂઆત કરતાં વીજ ગ્રાહકને કડવો અનુભવ

  • બિલ સિસ્ટમ દ્વારા બન્યું છેઅમારી કોઈ ભૂલ નથી : કર્મચારી 

Advertisment

ગુજરાત રાજ્યમાં DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સામે વિરોધના વંટોળ વચ્ચે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી વધુ વીજબિલ આવ્યું હોવાનો ચોંકાવાનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

 મળતી માહિતી અનુસારઅંક્લેશ્વર શહેરના સી માસ્ટર કમ્પાઉન્ડમાં રહેતા અને સામાન્ય પરિવારના પટેલ ઝુલેખા મોહમ્મદના મકાનમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમ દ્વારા સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યું હતું. જોકેગતરોજ રાત્રીના સમયે DGVCL દ્વારા વીજ ગ્રાહકને મોબાઈલમાં મેસેજ મારફતે જે બિલ મોકલવામાં આવ્યું હતું. તે બિલની રકમ રૂ. 6.29 લાખ જોતાં જ મકાન માલિકના હોશ ઉડી ગયા હતા.

મકાન માલિકે જણાવ્યુ હતું કેઆટલી મોટી રકમ જોઈને મને એકદમ જ જણજણાટી પહોંચી હતી. ત્યારબાદ આજરોજ સવારે દક્ષિણ ગુજરાત વીજ નિગમ લિમિટેડની નવી કચેરી ખાતે પહોંચી આ મામલે રજૂઆત કરતા મહિલા અધિકારીએ જણાવ્યું હતું કેઆ બિલ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવ્યું છેઅમારી કોઈ ભૂલ નથી. પરંતુ સિસ્ટમની ભૂલના કારણે આટલું મોટું બિલ સામાન્ય માણસને આવતા જ પ્રશ્નો ઉભો થાય છે કેસિસ્ટમ કામ કરે છે કેમાનવી કામ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભમાં વધુ એકવાર આટલું મોટું બિલ આવતા લોકોમાં ગભરાટ ફેલાયો છે. જોકે, DGVCLની આવી ગંભીર ભૂલના કારણે માનવીય જીવન ઉપર ગંભીર અસર પહોંચી શકે છે.

Advertisment