ભરૂચ : વાવાઝોડાના કહેરથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો પર આફત, પાક નુકસાની સામે સર્વે કરવા તંત્રને આવેદન...

વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ 

New Update
  • જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ

  • ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી

  • ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાકને થયું મોટું નુકશાન

  • અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્રને પાઠવાયું આવેદન પત્ર

  • સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ 

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા વાવાઝોડાના કારણે ખેતરોમાં કેળના ઊભા પાકમાં મોટું નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવાય તે માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચ જીલ્લામાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો છેત્યારે ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરીવઢવાળાહરીપુરાનવાપુરાવહેવાળાવબાપોરકાકલપોરસરસાડઉમઘરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે.

ખેડૂતોના જણાવ્યા અનુસારવાવાઝોડું એટલું તીવ્ર હતું કેઘણા ખેતરોમાં કેળ સહિતના ઊભા પાકોના છોડ જમીનદોસ્ત થયા છેત્યારે આર્થિક નુકસાનીને ધ્યાનમાં રાખીને ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ત્વરિત સર્વે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરતું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કેતેઓએ પાક માટે લોન લીધી હતીઅને હવે પાક નષ્ટ થતા ચૂકવણી કેવી રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે. ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે નબીપુર નજીકથી કેમિકલ ચોરીનું મોટું કૌભાંડ ઝડપી પાડ્યું, રૂ.39 લાખના મુદ્દામાલ સાથે 3 આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક

New Update
css bh
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઈ. ડી.એ.તુવરની ટીમ નેહા.૪૮ પર નાઈટ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે નેશનલ હાઇવે ૪૮ ઉપર ભરૂચથી વડોદરા જતા ટ્રેક ઉપર રીલીફ હોટલ નજીક ટેન્કર નંબર GJ 12 AZ 1612 માંથી ત્રણ ઇસમો ગેરકાયદેસર રીતે પ્લાસ્ટિકના કારબામાં કંઇક પ્રવાહી કાઢી પીકઅપ ડાલામાં મુકે છે જે આધારે પોલીસે દરોડા પાડતા 3 આરોપીઓ કેમિકલની ચોરી કરતા રંગેહાથ ઝડપાય ગયા હતા. આરોપીઓ હજીરા અદાણી પોર્ટમાંથી સ્ટાયરીન (SM) કેમીકલ ભરી વડોદરા નંદેસરી જી.આઈ.ડી.સી.માં ખાલી કરવાં જતું હતું અને ડ્રાઈવર દ્વારા નંદેસરી પહોંચે તે પહેલા કેમીકલ માફીયાઓનો સંપર્ક કરી ટેન્કરનું સીલ તોડી, કેમિકલ ચોરી પ્લાસ્ટીકના કારબાઓ ભરી એક કારબો ૧૫૦૦/- માં વહેંચતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે  તુલસારામ જસારામ જાટ ઉ.વ.૪૫ રહેવાસી, ધને કી ધાની ગામ તા & થાના સીન્ધરી જિ.બલોતરા (રાજસ્થાન) (ટેન્કર ડ્રાઈવર), સત્તાર ઉર્ફે સમીર મલંગશા દિવાન ઉ.વ.૩૪ હાલ રહે.પાલેજ સાલેહ પાર્ક પ્લોટ નં.૧૨૨/૧૨૩ મહેરબાન ગુલામભાઇના મકાનમાં ભાડેથી તા.જિ.ભરૂચ મૂળ રહેવાસી.ઘર નં.૦૭ રાજાવાડી સૈયદપુરા સુરત શહેર, વસીમ સીરાજ દીવાન ઉ.વ.૧૯ રહેવાસી. માલપુર ગામ પટેલ ફળીયુ તા.શીનોર જિ.વડોદરાની ધરપકડ કરી રૂ.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.