ભરૂચ : વાવાઝોડાના કહેરથી ઝઘડીયા તાલુકાના ખેડૂતો પર આફત, પાક નુકસાની સામે સર્વે કરવા તંત્રને આવેદન...

વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ 

New Update
  • જિલ્લા સહિતના તાલુકાઓમાં વરસ્યો હતો વરસાદ

  • ભારે પવન સાથે આવેલા વાવાઝોડાએ તારાજી સર્જી

  • ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાકને થયું મોટું નુકશાન

  • અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા તંત્રને પાઠવાયું આવેદન પત્ર

  • સરકાર દ્વારા વળતર ચૂકવવાય તેવી ખેડૂતોની માંગ

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વિવિધ ગામોમાં આવેલા વાવાઝોડાના કારણે ખેતરોમાં કેળના ઊભા પાકમાં મોટું નુકશાન થયું છેત્યારે સરકાર દ્વારા સર્વે કરાવી સહાય ચૂકવાય તે માટે ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

ભરૂચ જીલ્લામાં તાજેતરમાં આવેલા મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. ખેડૂતોએ મહેનતથી તૈયાર કરેલો પાક લણણીના સમયે જ કમોસમી વરસાદનો ભોગ બન્યો છેત્યારે ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરીવઢવાળાહરીપુરાનવાપુરાવહેવાળાવબાપોરકાકલપોરસરસાડઉમઘરા અને ભાલોદ જેવા ગામોમાં પણ ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું છે.

ખેડૂતોના જણાવ્યા અનુસારવાવાઝોડું એટલું તીવ્ર હતું કેઘણા ખેતરોમાં કેળ સહિતના ઊભા પાકોના છોડ જમીનદોસ્ત થયા છેત્યારે આર્થિક નુકસાનીને ધ્યાનમાં રાખીને ઝઘડીયા તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોએ ત્વરિત સર્વે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી લેખિત રજૂઆત કરતું આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કેતેઓએ પાક માટે લોન લીધી હતીઅને હવે પાક નષ્ટ થતા ચૂકવણી કેવી રીતે થશે તેની ચિંતા ઊભી થઈ છે. ખેડૂતો હાલ તંત્ર તરફ સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: ઘર કંકાસમાં પતિએ પત્નીની ગળુ કાપી હત્યા કરી, મૃતદેહને ચાદરમાં લપેટી વાલિયાના કોંઢ ગામ નજીક ફેંકી દીધો

વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે પત્ની રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી

New Update
  • ભરૂચના વાલિયાના કોઢ ગામ નજીકથી મળ્યો હતો મૃતદેહ

  • મહિલાનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

  • મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનો ખુલાસો

  • ધારદાર હથિયાર વડે ગળું કાપી હત્યા કરાય

  • પોલીસે હત્યારા પતિની કરી ધરપકડ

ભરૂચના વાલીયાના કોંઢ ગામ નજીકથી મળી આવેલ મહિલાના મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે.મહિલાની હત્યા તેના જ પતિએ કરી હોવાનું બહાર આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના વાલીયા તાલુકાના કોંઢ ગામ નજીકથી મહિલાનો ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.આ અંગેની જાણ થતા જ વાલિયા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બનાવ સંદર્ભે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.આ તપાસમાં ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ હતી ત્યારે પોલીસ સમક્ષ સૌથી મોટો પડકાર મહિલાની ઓળખ કરવાનો હતો જોકે પોલીસે સોશિયલ મીડિયામાં મહિલાનો ફોટો શેર કરી તેની ઓળખ માટેના ચક્રોગતિમાન કર્યા હતા.
જેમાં મૃતક મહિલા અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ શિવકૃપા બંગલોઝમાં રહેતા અને મૂળ લખનઉની  રુચિ અવસ્થિ હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે પોલીસે તપાસ કરતાં ચોકાવનારો ખુલાસો થયો હતો.આ મામલામાં મહિલાની હત્યા તેના જ પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તવે કરી હોવાનું બહાર આવ્યુ હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવની પ્રથમ પત્નીનું વર્ષ 2018માં હૃદયરોગના હુમલામાં મૃત્યુ થતાં મેટ્રિમોનીયલ સાઇટ મારફતે વર્ષ 2019માં તેણે રુચિ અવસ્થિ સાથે લગ્ન કર્યા હતા.
જોકે વારંવાર થતાં ઘર કંકાસમાં ઉશ્કેરાઈ જઈ રાજેન્દ્ર શ્રીવાસ્તવે ઘરમાં રહેલ ધારદાર હથિયાર વડે રુચિ અવસ્થિનું ગળું કાપી તેની હત્યા કરી નાખી હતી ત્યારબાદ મૃતદેહને ચાદરમાં લપેટી અંકલેશ્વરથી વાઢીયાના કોંઢ ગામ નજીક આવ્યો હતો અને ત્યાં નાાળામાં મૃતદેહનો નિકાલ કરી ત્યાંથી રવાના થઈ ગયો હત.આ મામલામાં પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેન્સના આધારે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.