ભરૂચ: દહેજ પોલીસે રૂ.2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, 2 આરોપીઓની ધરપકડ

દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો  મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે

New Update
aa

દહેજ પોલીસે રૂ.2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

ભરૂચની  દહેજ પોલીસના કર્મચારીઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે  દહેજ ગામે જુના બંદર રોડ ઉપર ભુતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝુપડા પાસે દહેજ ગામનો રાહુલ સુરેશભાઈ રાઠોડે ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો  મારફતે ઝુપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવે છે જેવી ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા રૂ. 2.65 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે  રોહિત ઉર્ફે રાવણ કનુભાઈ રાઠોડ, હાલ રહે.દહેજ, જુના બંદર પાસે ઝુપડામાં, તા.વાગરા, જી.ભરૂચ અને દિલીપ ઉર્ફે કાળીયો રામદેવ ભગત, હાલ રહે.દહેજ, ટાવર ફળીયુ, તા.વાગરા, જી.ભરૂચની ધરપકડ કરી છે જ્યારે એક આરોપીને  વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
Read the Next Article

ભરૂચ : અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે મોત, પોલીસે તપાસ આરંભી...

કાર ચાલકે બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતા, જેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું

New Update
  • અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત

  • કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત

  • કાર ચાલકે બાઈક સવાર યુયાવ્કને અડફેટે લેતા કરૂણ મોત

  • સ્થળ પર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું

  • પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ કરી 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-ઝઘડિયા માર્ગ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ચાલકે અડફેટે લેતા બાઈક સવારનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

મળતી માહિતી અનુસારભરૂચ જિલ્લાના અંકલેશ્વરથી ઝઘડિયાને જોડતા મુખ્ય માર્ગની કામગીરી ચાલી રહી છે. આ વચ્ચે ઉછાલી નજીક નાના પુલીયા તેમજ એપ્રોચ રોડની ચાલતી કામગીરીના પગલે માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે. એટલું જ નહીંદઢાલ બ્રિજ પર પડેલા મસમોટા ખાડા અકસ્માતનું નિમિત્ત બની રહ્યા છે.

તેવામાં આજરોજ અંકલેશ્વરના ઉછાલી ગામ નજીક ભારત પેટ્રોલિયમ પાસે ઉછાલી ગામના રણુજા ફાર્મમાં રહેતા 36 વર્ષીય શ્રમિક રાજુભાઈ ચખલીયા બાઈક પર ઉછાલી નજીકથી પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન કાર ચાલકે બેફિકરાઈ ભરી રીતે ખાડે ગયેલા રોડ પર પણ પૂરપાટ આવતા બાઈક સવારને ટક્કર મારી હતી. જેના કારણે બાઈક સવાર રાજુભાઈ ચખલીયા બાઈક સાથે રોડ પર ફંગોળાયા હતાજેથી તેઓને શરીરે ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

બનાવની જાણ થતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતાજ્યાં પરિવારજનો હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાય હતી. ઘટના અંગે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલેખનીય છે કેમાર્ગના નવીનીકરણ વચ્ચે વરસાદના પગલે માર્ગ વધુ બિસ્માર બન્યો છેજેથી વાહન ચાલકો ખાડામાં પટકાઈને અકસ્માતને ભેટી રહ્યા છેત્યારે મંથર ગતિએ ચાલતા રોડના નવીનીકરણ અને પુલની કામગીરીને લઇ લોકોમાં રોષ ફેલાયો છે.