New Update
-
ભારત પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ
-
ભરૂચ જિલ્લામાં આયોજન
-
3 સ્થળોએ મોકડ્રિલ યોજાય
-
વહીવટી તંત્ર-પોલીસ અધિકારીઓ જોડાયા
-
ફાયર ફાયટરો-મેડિકલ સ્ટાફ જોડાયા
આ મોકડ્રીલ દરમિયાન વહીવટી તંત્ર અને પોલીસના તમામ અધિકારીઓ જોડાયા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક કરી છે ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ પૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર ongc, ભરૂચ gnfc અને દહેજ ખાતે બિરલા કોપર કંપનીમાં મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુસર યોજાયેલ મોકડ્રિલમાં વહીવટી તંત્ર તેમજ પોલીસના અધિકારીઓ જોડાયા હતા.સિવિલ સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે અંકલેશ્વર ONGC
ખાતે યોજાયેલમાં મોકડ્રિલમાં પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ડીવાયએસપી ડો. કુશલ ઓઝા, મામલતદાર કરણસિંહ રાજપુત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં હુમલા સમયે રાખવામાં આવનાર તકેદારીનું રિહર્સલ કરવામાં આવ્યુ હતું. સાયરન વાગતા જ સુરક્ષા કર્મીઓ દોડ્યા હતા અને નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. આ ઉપરાંત હુમલામાં ઘવાયેલ લોકોને મેડિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો ફાયરની ટીમ દ્વારા હુમલા સ્થળે આગ બુજાવવાની કામગીરી કરવામાં આવી હતી આ સાથે જ લોકોને સુરક્ષા અને સલામતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આવી જ રીતે ભરૂચ GNFC ખાતે યોજાયેલ મોકડ્રિલમાં પણ સાયરન વાગતાની સાથે જ નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ મેડિકલની ટીમ દ્વારા ઘવાયેલ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ફાયરની ટીમ દ્વારા આગ બુજાવવામાં આવી હતી. જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર ખાતેથી સમગ્ર જિલ્લાની પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
Latest Stories