ભરૂચ: આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ, સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

સ્વયમ સૈનિક દળ  દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ

  • આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ

  • સ્કોલરશીપમાં કે.વાય.સી.માંથી મુક્તિની માંગ

  • આગેવાનો-કાર્યકરો જોડાયા

ભરૂચ સ્વયમ સૈનિક દળ દ્વારા ડો.સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધીને સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાશનકાર્ડ કે.વાય.સી.માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ : વરસાદની શરૂઆત સાથે જ ખેડૂતો ખરીફ પાકના વાવેતરમાં જોડાયા,730 હેકટરથી વધુ પિયત કપાસનું કરાયું વાવતેર

ભરૂચ જિલ્લામાં આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.

New Update
  • ચોમાસાની શરૂઆતથી ખેડૂતોમાં ખુશી

  • પિયત કપાસનું વાવેતર કરાયું શરૂ

  • 730 હેક્ટરમાં કપાસનું વાવેતર

  • હાંસોટમાં 150 હેક્ટરમાં કરાયું વાવેતર

  • કપાસ અને તુવેર સહિતના પાકની વાવણી   

ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ખેડૂતોએ ખરીફ વાવેતરની કામગીરી શરૂ કરી છે. અત્યાર સુધીમાં 730 હેક્ટરથી વધુ વિસ્તારમાં પિયત કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહથી ચોમાસુ વાવેતરની શરૂઆત થાય છે. પિયતની સુવિધા ધરાવતા ખેડૂતો સૌ પ્રથમ કપાસનું વાવેતર કરે છે. ગત વર્ષે જૂનના બે સપ્તાહમાં 990 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. આ વર્ષે પ્રથમ સપ્તાહમાં 551 હેક્ટરમાં વાવેતર થયું છે. પરંતુ પૂરતો વરાપ ન નીકળવાના કારણે આ વર્ષે 439 હેક્ટર ઓછું વાવેતર થયું છે.જોકે બે સપ્તાહ મળીને 730 હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાવેતર હાંસોટ તાલુકામાં 150 હેક્ટર વિસ્તારમાં થયું છે. વાગરા અને વાલિયા તાલુકામાં હજુ વાવેતરની શરૂઆત થઈ નથી. જૂન મહિનાના અંત સુધીમાં 5 હજાર હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થવાનું અનુમાન ખેડૂતો લગાવી રહ્યા છે.

ખેડૂતોના જણાવ્યા મુજબવરસાદને કારણે ખેતરો વાવેતર માટે તૈયાર કરી દેવામાં આવ્યા છે. કપાસ અને તુવેર જેવા પાકની વાવણી ચાલુ છે. ગત વર્ષે અતિવૃષ્ટિના કારણે પ્રથમ વાવેતર નિષ્ફળ ગયું હતું. આ વર્ષે સારો વરસાદ અને યોગ્ય વરાપ મળે તો સારા પાકની આશા છે. આખી સિઝનમાં 30 ઇંચ જેટલો વરસાદ પડે તો સારો પાક થઈ શકે છે.