ભરૂચ: આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ, સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું

સ્વયમ સૈનિક દળ  દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી

New Update
  • ભરૂચ કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

  • સ્વયમ સૈનિક દળ દ્વારા આવેદનપત્ર પાઠવ્યુ

  • આંબેડકર જયંતિની રજા જાહેર કરવા માંગ

  • સ્કોલરશીપમાં કે.વાય.સી.માંથી મુક્તિની માંગ

  • આગેવાનો-કાર્યકરો જોડાયા

ભરૂચ સ્વયમ સૈનિક દળ દ્વારા ડો.સાહેબ આંબેડકરની જન્મ જયંતિના રોજ રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લા કલેકટર કચેરી ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુને સંબોધીને સ્વયમ સૈનિક દળ દ્વારા એક આવેદન પત્ર પાઠવ્યું હતું.જેમાં જણાવ્યા અનુસાર ૧૪મી એપ્રિલના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે રજા જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.
સાથે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ માટે રાશનકાર્ડ કે.વાય.સી.માંથી મુક્તિ આપવા ઉપરાંત અનુસુચિત જાતિ,અનુસુચિત જનજાતિ અને લઘુમતી સમાજ સાથે થતા અત્યાચાર અને અન્યાય દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
Read the Next Article

ભરૂચ: આમોદની સમાચોકડી નજીક ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત, બાઈક સવાર મહિલાને ગંભીર ઇજા

આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલાને ગંભીર ઇજા પહોંચી

New Update
amod accident
ભરૂચના દહેજથી જંબુસર તાલુકાના થણાવા ગામે જતો પરિવાર ગંભીર અકસ્માતનો શિકાર બન્યો હતો, જયા આમોદ નજીક હોટલ સમા ચાર રસ્તા પાસે બાઈક અને ટ્રક વચ્ચે અથડામણ સર્જાઈ હતી.બાઈક પર એક બાળક સહિત ત્રણ વ્યક્તિઓ સવાર હતા. ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા પાછળ બેઠેલ મહિલા ભીખીબહેન ગોહિલના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી જેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.