ભરૂચ: ટ્રાફિકની સમસ્યાના પગલે રીક્ષાની નવી પરમીટ બંધ કરવાની માંગ

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

New Update

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા વિવિધ મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી

ભરૂચના જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના સભ્યો દ્વારા આજરોજ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર 
 ભરૂચ જીલ્લામાં અંદાજીત ૧૫૦૦૦ જેવી ઓટો રીક્ષા હોવાથી ટ્રાફીકની સમસ્યા ખુબ જ પ્રમાણમાં વધી ગઈ છે અને ઓટો રીક્ષા પાર્કિંગ કરવા માટે રીક્ષા સ્ટેન્ડની જગ્યા પણ મળતી નથી  જેથી ભરૂચ જીલ્લામાં ઓટોરીક્ષાનું નવુ પરમીટ ટૂંક સમય માટે બંધ કરવાની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત જંબુસર બાયપાસ ચોકડીથી કંથારીયા નાળા સુધી રોડ પર ગેરકાયદેસર રીતે બાંધકામ કર્યું છે જેનાથી રીક્ષા ચાલકોને પચ્ચીસ વર્ષથી રીક્ષા પાર્કિંગની જગ્યા પરથી ખસીને મેઈન રોડ ઉપર પાર્કિંગ કરવુ પડે છે જેને લઈને ટ્રાફીકની ખુબ જ મોટી સમસ્યા ઉભી થાય છે ત્યારે આ સમસ્યાના નિરાકરણની માંગ કરવામાં આવી છે
#Bharuch #Gujarat #CGNews #rickshaw #Association #Avedan Patra
Here are a few more articles:
Read the Next Article