ભરૂચ: મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી.

New Update
  • ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ

  • તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

  • ભારે પવન ફૂંકાતા તારાજીના દ્રશ્યો

  • વૃક્ષ ધરાશાયી થવાના બનાવ

  • લગ્નના મંડપો પણ ઉડી ગયા

ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડા જેવી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ઠેર ઠેર લગ્નમંડપો ઉડી જવાના તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા

ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી. ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી.હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપ ઠેર ઠેર ઉડી ગયા હતા જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 

ભારે પવનના પગલે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો સાથે જ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ પણ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે આ તરફ વરસાદના પગલે ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે.મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેનરો પણ ઉડી ગયા હતા તો સાંજના સમયે ફૂંકાયેલ ભારે પવનના કારણે વાહન ચાલકોઈ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ભારે પવનના પગલે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાસાઇ થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી તો બીજી તરફ વીજળી દૂર થઈ જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાએ મકાનોના પતરા ઉડી જવાના બનાવો પણ નોંધાયા હતા જો કે નસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો

અંકલેશ્વર 6 મી.મી.,આમોદ 2 મી.મી.,જંબુસર 9 મી.મી.,ઝઘડિયા 3 મી.મી.,નેત્રંગ 5 મી.મી.,ભરૂચ 3 મી.મી.,વાગરા 7 મી.મી.,વાલિયા 5 મી.મી. અને હાંસોટમાં 15 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે.
Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.