ભરૂચ: મીની વાવાઝોડા અને કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો, સરેરાશ 1 ઇંચ વરસાદ નોંધાયો

ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી.

New Update
  • ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ

  • તમામ 9 તાલુકામાં વરસાદ નોંધાયો

  • ભારે પવન ફૂંકાતા તારાજીના દ્રશ્યો

  • વૃક્ષ ધરાશાયી થવાના બનાવ

  • લગ્નના મંડપો પણ ઉડી ગયા

ભરૂચ અને અંકલેશ્વર સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. મીની વાવાઝોડા જેવી સર્જાયેલી પરિસ્થિતિના કારણે ઠેર ઠેર લગ્નમંડપો ઉડી જવાના તેમજ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા

ભરૂચ અને અંકલેશ્વર પંથકના વાતાવરણમાં ગત બપોર બાદ અચાનક જ પલટો આવ્યો હતો. કાળા ડીબાંગ વાદળોની ફૌજ સાથે મેઘરાજા અને પવનદેવની સવારી જાણે આવી પહોંચી હતી. ભારે પવન ફૂંકાયો હતો જેના કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હતી.હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે લગ્ન માટે બાંધવામાં આવેલ મંડપ ઠેર ઠેર ઉડી ગયા હતા જેના કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. 

ભારે પવનના પગલે મીની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તો સાથે જ અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં વરસાદ પણ વરસ્યો હતો જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જોકે આ તરફ વરસાદના પગલે ખેડૂતોના માથે ચિંતાની લકીર જોવા મળી રહી છે.મે માસમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો હતો. ઠેર ઠેર બેનરો પણ ઉડી ગયા હતા તો સાંજના સમયે ફૂંકાયેલ ભારે પવનના કારણે વાહન ચાલકોઈ પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.

ભારે પવનના પગલે ઠેર ઠેર વૃક્ષો પણ ધરાસાઇ થઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી તો બીજી તરફ વીજળી દૂર થઈ જતા દક્ષિણ ગુજરાત વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરી વીજ પુરવઠો પુનઃ કાર્યરત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વિવિધ જગ્યાએ મકાનોના પતરા ઉડી જવાના બનાવો પણ નોંધાયા હતા જો કે નસીબે કોઈ જાનહાની થઈ ન હતી ભરૂચ જિલ્લામાં વરસેલ વરસાદના તાલુકાવાર આંકડા પર નજર કરીએ તો

અંકલેશ્વર 6 મી.મી.,આમોદ 2 મી.મી.,જંબુસર 9 મી.મી.,ઝઘડિયા 3 મી.મી.,નેત્રંગ 5 મી.મી.,ભરૂચ 3 મી.મી.,વાગરા 7 મી.મી.,વાલિયા 5 મી.મી. અને હાંસોટમાં 15 મી.મી. વરસાદ નોંધાયો હતો. ભરૂચ જિલ્લામાં સરેરાશ એક ઇંચ જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે.
Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.