ભરૂચ: ગણેશજીની શોભાયાત્રામાં DJના ઘોંઘાટ સામે પોલીસની કાર્યવાહીથી ભક્તોમાં રોષ

ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જોકે સમય મર્યાદા પૂર્ણ થતા પોલીસે શોભાયાત્રા બંધ કરાવતા મામલો ગરમાયો હતો,અને લોકટોળુ પોલીસ મથકે પહોંચ્યું હતું.

શ્રાવણ માસ તેના મધ્યાહને પહોંચ્યો છે,ત્યારે ભાદરવા સુદ ચોથથી વિઘ્નહર્તા દેવના પર્વની શરૂઆત થશે, ગણેશ મંડળો દ્વારા ગણેશજીના આગમનની તૈયારી પણ શરુ કરવામાં આવી છે,અને વાજતે ગાજતે દુંદાળા દેવને આવકાર આપી રહ્યા છે,ત્યારે જૂના ભરૂચ કાચલી પીઠના ગણેશ મંડળ દ્વારા ગણેશજીના આગમનની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જોકે નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ થઇ જતા ડીજેના ઘોંઘાટ સામે પોલીસે લાલ આંખ કરી હતી,અને શોભાયાત્રા બંધ કરાવતા ગણેશ મંડળમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો,અને ગણેશજીની પ્રતિમા સાથે લોકટોળું ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું.અને ત્યાં લોકટોળાએ હલ્લો મચાવ્યો હતો.જોકે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તહેવાર અને તેની ઉજવણીની ગરિમાને જાળવવા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે પણ જરૂરી છે,અને સૌ કોઈએ તેનું પાલન કરીને વિઘ્ન રહિત તહેવારની ઉજવણી કરવી એ પણ ધર્મ ભક્તિ જ છે.
Read the Next Article

ભરૂચ : પોલીસ દ્વારા હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ભવ્ય નવરાત્રીનું મહોત્સવનો પ્રારંભ, IG સંદીપ સિંહે કર્યું પૂજન અર્ચન

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના

New Update

નવ નવેલી રાતનો આજથી પ્રારંભ

ભરૂચ પોલીસ દ્વારા ભવ્ય આયોજન

હોસ્ટેલ ગ્રાઉન્ડ પર ગરબા મહોત્સવનું આયોજન

પૂજન અર્ચન સાથે પ્રારંભ કરાયો

પોલીસ અધિકારીઓ- કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત

ભરૂચ પોલીસ વેલ્ફેર સોસાયટી દ્વારા શહેરના મધ્યમાં આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું વડોદરા રેન્જના આઈ.જી સંદીપસિંહના હસ્તે પૂજન અર્ચન કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો
ભરૂચ શહેરમાં જગત જનનીમાં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચ પોલીસ દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે વડોદરા રેન્જના આઈ.જી.સંદીપસિંહ અને ભરૂચ જિલ્લા પોલીસવડા અક્ષય રાજ મકવાણાના હસ્તે શાસ્ત્રોક્તવિધિ અનુસાર પૂજન અર્ચન કરી ગરબા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પોલીસ અધિકારીઓ કર્મચારીઓ તેમજ શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.ખેલૈયાઓ સુરક્ષા ને સલામતી સાથે ગરબા રમી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહિલાઓ માટે હેલ્પ ડેસ્ક તથા આરોગ્યની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. નવરાત્રિના નવ દિવસ ભરૂચ પોલીસ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમશે.