ભરૂચ: ગણેશજીની શોભાયાત્રામાં DJના ઘોંઘાટ સામે પોલીસની કાર્યવાહીથી ભક્તોમાં રોષ

ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

New Update

ભરૂચ શહેરમાં વિઘ્નહર્તા દેવના આગમનના વધામણાં સમયે ગણેશ મંડળ દ્વારા ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જોકે સમય મર્યાદા પૂર્ણ થતા પોલીસે શોભાયાત્રા બંધ કરાવતા મામલો ગરમાયો હતો,અને લોકટોળુ પોલીસ મથકે પહોંચ્યું હતું.

શ્રાવણ માસ તેના મધ્યાહને પહોંચ્યો છે,ત્યારે ભાદરવા સુદ ચોથથી વિઘ્નહર્તા દેવના પર્વની શરૂઆત થશે, ગણેશ મંડળો દ્વારા ગણેશજીના આગમનની તૈયારી પણ શરુ કરવામાં આવી છે,અને વાજતે ગાજતે દુંદાળા દેવને આવકાર આપી રહ્યા છે,ત્યારે જૂના ભરૂચ કાચલી પીઠના ગણેશ મંડળ દ્વારા ગણેશજીના આગમનની ડીજે સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી,જોકે નિશ્ચિત સમય મર્યાદા પૂર્ણ થઇ જતા ડીજેના ઘોંઘાટ સામે પોલીસે લાલ આંખ કરી હતી,અને શોભાયાત્રા બંધ કરાવતા ગણેશ મંડળમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો,અને ગણેશજીની પ્રતિમા સાથે લોકટોળું ભરૂચ A ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યું હતું.અને ત્યાં લોકટોળાએ હલ્લો મચાવ્યો હતો.જોકે પોલીસની સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તહેવાર અને તેની ઉજવણીની ગરિમાને જાળવવા માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે પણ જરૂરી છે,અને સૌ કોઈએ તેનું પાલન કરીને વિઘ્ન રહિત તહેવારની ઉજવણી કરવી એ પણ ધર્મ ભક્તિ જ છે.
Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે