ભરૂચ: આસો નવરાત્રીની આઠમ નિમિત્તે પૌરાણીક અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી

ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

New Update

નવરાત્રી તેના અંતિમ ચરણમાં
આજે આસો નવરાત્રીની આઠમની ઉજવણી
દાંડિયા બજારમાં આવેલ અંબાજી મંદિરે ભક્તોની ભીડ
અંબાજી મંદિરને મળ્યો છે શક્તિપીઠનો દરજ્જો
માતાજીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

Advertisment


આસો સુદ આઠમ નિમિત્તે ભરૂચના દાંડીયા બજાર વિસ્તારમાં આવેલ અતિ પૌરાણીક અને શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે દર્શનાર્થીઓની ભીડ  જોવા મળી હતી ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ અને સૈકા જૂનું અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે આજે આસ આઠમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં  માતાજીના હવનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.ભરૂચમાં અતિ પ્રાચીન અને ઐતિહાસિક કોઈ મંદિર હોય તો તે છે દાંડિયા બજારનું અંબાજી મંદિર અને આ મંદિરને શ્રી શક્તિપીઠ અંબાજી મંદિરનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મોટા અંબાજી જેટલું જ મહત્વ દાંડિયા બજારનું શક્તિપીઠ અંબાજી મંદિર ધરાવે છે મોટા અંબાજી મંદિરમાં જે ધાર્મિક પૂજા વિધિ થાય છે તે પ્રમાણે જ આ અંબાજી મંદિરમાં પણ ધાર્મિક વિધિ યોજાય છે.આજે આસો સુદ આઠમના દિવસે સવારથી જ દાંડિયા બજાર સ્થિત શ્રી અંબાજી શક્તિપીઠ મંદિર ખાતે  દર્શનાર્થીઓની ભીડ જોવા મળી હતી. આજે  આઠમ નિમિત્તે ભક્તોએ માં અંબાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisment
Read the Next Article

ભરૂચ ટ્રક અને સરકારી જીપ વચ્ચે અકસ્માત, જંબુસરના પ્રાંત અધિકારીનો ચમત્કારિક બચાવ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે

New Update
accident આમોદ

ભરૂચ જિલ્લાના આમોદ ચાર રસ્તા નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જંબુસરના પ્રાંત અધિકારી ડો. એસ.એમ. ગાંગુલીની સરકારી જીપને ટ્રક ચાલકે અચાનક ટક્કર મારતા ઘટનાની તીવ્રતા વધી હતી. આ અકસ્માત દરમિયાન ગાંગુલી સાહેબનો ચમત્કારિક બચાવ થયો હતો.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રક ચાલકે જીપને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં તેની વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો અને સીધી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે નજીકના વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઊભી થઇ હતી. ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ દોડી આવી હતી અને ઘટના સ્થળ પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પોલીસ ટ્રાફિકને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો હતો, અકસ્માત અંગે આગળની તપાસ હાથ ધરાઈ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ, જો જીપ થોડી સેકન્ડ પણ આગળ વધી ગઈ હોત, તો મોટો વિઘાટ સર્જાઈ શક્યો હોત. સદભાગ્યે કોઈ જાનહાનિ ટળી છે.

Advertisment