ભરૂચ: ઉત્તરાયણ પર્વમાં વીજ અકસ્માત ન સર્જાય તે માટે સલામતી અને સુરક્ષા રાખવા માટે DGVCL દ્વારા કરાઈ અપીલ

ઘરની આજુ-બાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ:DGVCL

New Update
  • ઉત્તરાયણ પર્વમાં સલામતી માટે કરાઈ અપીલ

  • DGVCLના કાર્યપાલક ઇજનેરે લોકોને કરી અપીલ

  • પતંગ સાવધાની પૂર્વક ઉડાવવા માટે અપાઈ સૂચના

  • ખુલ્લા વીજ તારથી દૂર રહેવા કરાઈ અપીલ

  • DGVCL દ્વારા ટોલ ફ્રી નંબર કરાયો જાહેર  

 ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વના દિવસે વહેલી સવારથી જ પતંગ ચગાવવા માટે ધાબા અગાસી અને ખુલ્લા મેદાનોમાં મોટી સંખ્યામાં ઉત્સવપ્રિય લોકો એકત્ર થઈને ઉત્તરાયણ પર્વની ઉજવણી કરનાર છે.ત્યારે આ હર્ષોઉલ્લાસનો પ્રસંગ દુઃખમાં ન ફેરવાય તે માટે ભરૂચ DGVCLના શહેરી કાર્યપાલક ઇજનેર એન.ડી.પરમાર દ્વારા લોકોને ઉત્તરાયણ પર્વની શુભેચ્છાઓ પાઠવી અપીલ કરતા જણાવ્યું હતું કે,ખુલ્લા વીજળીના તારને અડકશો નહિ,તાર ઉપર ફસાયેલી પતંગ લેવા લંગર નાખશો નહિ.

લંગર નાખીને ખેંચવાથી વીજળીના તાર ભેગા થઈ મોટા ભડાકાથી તાર તૂટી જવાની ભીતી રહે છે. તેમજ વીજ વપરાશના સાધનો,ઉપકરણો બળી જવાની સંભાવના રહેલી છે.ઘરની આજુ-બાજુ કે કોઈપણ જગ્યાએ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે લાકડી કે લોખંડના સળીયા વડે તેને કાઢવાની કે ત્યાં ચડવાનો પ્રયાસ કરશો નહિ.ધાતુના તાર બાંધીને પતંગ ન ઉડાડવા કારણ કે ધાતુના તારથી વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માત સર્જવાની સંભાવના રહે છે. 

આ સાથે જ મેગ્નેટિક ટેપ,સિન્થેટીક દોરી કે વીજ વાહક માંજા તથા અન્ય વાયરોનો ઉપયોગ ન કરવો,કેમકે તેનાથી પાવર લાઈન કપાઈ જવાનો ભય સેવાય છે,જેને લીધે અંધારપટ છવાઈ જવાની તેમજ વીજ અકસ્માત થવાની શક્યતા રહે છે.તૂટેલા તારથી દૂર રહો.નજીકના વાયર પર વીજ કરંટ ઉતરતો હોય તો તે બાબતની ફરિયાદ ડીજીવીસીએલની કચેરીમાં કરવી. જ્યારે વીજ અંગેની કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નં.1800 233 3003 અથવા 19122 પર ફોન કરી શકાય છે.

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.