New Update
ભરૂચના વાહનચાલકોને મળશે રાહત
નગર સેવા સદન દ્વારા લેવાયો નિર્ણય
માર્ગોના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી
દિવાળી પૂર્વે કામગીરી પૂર્ણ કરી દેવાશે
યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાય
ભરૂચ નગર સેવા સદન દ્વારા વાહનચાલકો માટે રાહતરૂપ નિર્ણય લેવામાં આવ્યો છે. ચોમાસામાં બિસ્માર બનેલા મોટાભાગના તમામ માર્ગોનું દિવાળી પૂર્વે સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
ભરૂચ શહેરના વાહનચાલકો માટે રાહતભર્યા સમાચાર છે. લાંબા સમયથી બિસ્માર બનેલા માર્ગોનું સમારકામ ભરૂચ નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે. ચોમાસું વિદાય લેતા જ તંત્ર દ્વારા શહેરના મુખ્ય માર્ગોનું પુનઃનિર્માણ અને રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે દિવાળી પૂર્વે શહેરના મોટા ભાગના માર્ગોનું સમારકામ પૂર્ણ કરવાની જાહેરાત કરી હતી.
ખાસ કરીને કસક સર્કલથી કસક ગરનાળુ અને ધોળીકુઈને જોડતો માર્ગ, પાંચબત્તીથી ઢાલ તથા શક્તિનાથ સર્કલ, તેમજ શક્તિનાથ સર્કલથી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના માર્ગોનું સમારકામ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે.
ચોમાસા દરમ્યાન ભારે વરસાદને કારણે માર્ગો પર ખાડા પડી ગયા હતા અને ધૂળિયા માર્ગોના કારણે વાહનચાલકોને મુસાફરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડતો હતો ત્યારે હવે માર્ગની કામગીરી શરૂ કરવામાં આવતા વાહનચાલકોને રાહત મળશે.તંત્ર દ્વારા માર્ગના સમારકામની કામગીરીની ગુણવત્તા જળવાય એ જરૂરી છે.
Latest Stories