ભરૂચ: હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દીવાળી ધિરાણ વિતરણનો કાર્યક્રમ યોજાયો

ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો

New Update

ભરૂચમાં કાર્યક્રમનું કરાયુ આયોજન

હરસિધ્ધિ ક્રેડિટ સોસા.દ્વારા કાર્યક્રમ યોજાયો

દિવાળી નિમિત્તે ધિરાણનું કરાયુ વિતરણ

રૂ.68 લાખના ચેક અર્પણ કરાયા

ધારાસભ્યો સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત

ભરૂચની હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી દ્વારા દિપાવલી પર્વ નિમિત્તે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો
ભરૂચમાં વર્ષ 2005-06થી હરસિધ્ધિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી કાર્યરત છે.જેમાં મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત સ્વ સહાય જૂથ સખીમંડળની બહેનોને બચત અને ધિરાણ સાથે સ્વરોજગાર લગતી પ્રવૃત્તિઓ પૂરી પાડવામાં છે ત્યારે આવનાર દિપાવલી પર્વ નિમિત્તે શહેરના આત્મીયહોલ ખાતે ધિરાણના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા,નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તેમજ હરસિધ્ધિ કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના ચેરમેન ખુમાનસિંહ વાસિયા અને આમંત્રિત ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે આમંત્રિતોના હસ્તે રૂપિયા 68 લાખના ધિરાણના ચેકનું વિતરણ લાભાર્થી મહિલાઓને કરવામાં આવ્યું હતું
Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડ મામલે વડોદરાના સાંસદ હેમાંગ જોશીનું નિવેદન, ભાજપ કોઈ પણ કૌભાંડીઓને છોડતી નથી

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.

New Update

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ

ભરૂચમાં ભાજપ દ્વારા કરાયુ આયોજન

પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયુ

સાંસદ હેમાંગ જોશીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી

વિવિધ પ્રશ્ને આપ્યા જવાબ

નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા ભરૂચમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ જવાબ આપ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થતાં ભાજપ દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત ભરૂચમાં રોટરી હોલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીએ પ્રેસ કોન્ફન્સ સંબોધી હતી.પત્રકાર પરિષદ દરમિયાન નરેન્દ્ર મોદી સરકારના ગયા 11 વર્ષના કાર્યકાળમાં થયેલા વિકાસ કાર્યોની વિગતો રજૂ કરવામાં આવી હતી.આ દરમિયાન પત્રકારો દ્વારા ભરૂચમાં થયેલા મનરેગા કૌભાંડ મુદ્દે સાંસદ ડૉ. હેમાંગ જોશીને પ્રશ્ન કરાતા તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર કોઈ પણ કૌભાંડીઓ બચાવતી નથી અને આવનારા સમયમાં જે પણ દોષિત જણાશે તેની સામે  સખત  પગલાં લેવાશે.
આ તરફ તાજેતરમાં સાંસદ મનસુખ વસાવા દ્વારા પોતાના પક્ષના નેતાઓ ઉપર સહયોગ ન મળવા બાબતે કરાયેલા નિવેદન અંગે પણ પ્રશ્ન કરાયો હતો. જેના જવાબમાં ડૉ. હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, "મનસુખભાઈ અમારા આદરણીય વડીલ છે. તેઓ હંમેશા પક્ષની ચિંતા રાખે છે કહી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો તેઓએ પ્રયાસ કર્યો હતો.
પત્રકાર પરિષદમાં ભરૂચ ભાજપના પ્રભારી જનક બગદાણાવાળા, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ તથા કાર્યક્રમ સંયોજક દિવ્યેશ પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.